ભારતની અર્થવ્યવસ્થા છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન જાળવી રહી છે, પરંતુ વૈશ્વિક અને સ્થાનિક પરિબળો હજુ પણ તેના વિકાસના માર્ગમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલી અનિશ્ચિતતા અને હવામાન સંબંધિત પડકારો આગામી નાણાકીય વર્ષમાં દેશના આર્થિક પ્રદર્શનને અસર કરી શકે છે તેવી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ(IMF) નું કહેવુ છે કે તેલની કિંમતો અને નબળા ચોમાસુ ભારતના જીડીપી ગ્રોથ માટે બે સૌથી મોટા જોખમ સમાન છે. IMF ના એક અધિકારીએ જણાવ્યુ કે નાણાકીય વર્ષ 2026-27માં ભારતના GDP ગ્રોથ માટે મિડલ ઈસ્ટમાં વધતુ ટેન્શન અને અલ નીનોની અસરથી નબળુ પડેલુ ચોમાસુ બહુ મોટુ જોખમ છે. યુદ્ધને કારણે તેલની કિંમતો સતત વધી રહી છે.
- તેલ પર ભારતની નિર્ભરતા સૌથી મોટો પડકાર
- ભારત એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે
- પોતાની તેલની જરુરિયાતનો લગભગ 80% હિસ્સો ભારત આયાત કરે છે.
- આનાથી ભારત એનર્જી શોકનો ભોગ બની શકે છે.
- આનાથી વિકાસ પર પ્રતિકૂળ અસર પડી શકે છે
- સાથે જ મોંઘવારી વધવાની ભીતિ છે
આ મહિને, IMF એ 2026-27 માટે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ 10 બેસિસ પોઇન્ટ ઘટાડીને 6.4% કર્યો. દરમિયાન, તેણે 2027-28 માટે આગાહી 20 બેસિસ પોઇન્ટ વધારીને 6.7% કરી છે.
ભારત અને ભૂટાન માટે IMF ના સિનિયર રેઝિડેન્ટ પ્રતિનિધિ અનિલ સાલ્ગાડોએ સોમવારે રોઇટર્સ સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, “આની સાથે બે મુખ્ય જોખમો સંકળાયેલા હોઈ શકે છે.”
તેમના મતે, “એક એ છે કે યુદ્ધ ફરી શરૂ થઈ ગયુ છે. જેની સીધી અસર તેલની કિંમતો પર પડે છે.”
ભારતની ઊર્જા સુરક્ષા મોટા પ્રમાણમાં આયાત પર આધારિત હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થતી અચાનક તેજીની સીધી અસર દેશના વેપાર સંતુલન, ચલણ અને મોંઘવારી પર કરે છે. ઊંચા તેલના ભાવને કારણે પરિવહન, ઉત્પાદન અને લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો થાય છે, જેનો પ્રભાવ અંતે સામાન્ય ગ્રાહકો સુધી પહોંચે છે. આવી સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહે તો ખાનગી વપરાશ અને ઔદ્યોગિક રોકાણની ગતિ પણ ધીમી પડી શકે છે.
બીજી તરફ, કૃષિ આધારિત અર્થવ્યવસ્થા માટે ચોમાસું અત્યંત નિર્ણાયક ગણાય છે. વરસાદમાં અસમાનતા અથવા અપેક્ષા કરતાં ઓછો વરસાદ માત્ર ખેતી પૂરતો જ સીમિત પ્રશ્ન નથી રહેતો, પરંતુ ખાદ્ય ઉત્પાદન, ગ્રામ્ય આવક અને ગ્રાહક માંગ પર પણ તેની અસર જોવા મળે છે. જો હવામાનની અનિશ્ચિતતા લાંબા સમય સુધી રહે તો ખાદ્ય મોંઘવારી વધવાની સાથે સમગ્ર અર્થતંત્ર પર દબાણ સર્જાઈ શકે છે.
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલો વધારોગયા અઠવાડિયે, હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપની આશંકાને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ $90 પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગયા હતા. જોકે, સાઉદી અરેબિયાની નાકાબંધી અંગે હુતી બળવાખોરો દ્વારા તાજેતરના હુમલાઓ અને ધમકીઓ છતાં, યુએસ અને ઈરાન વચ્ચે મધ્યસ્થી પ્રયાસોના અહેવાલો પછી છેલ્લા બે દિવસમાં ભાવમાં થોડો ઘટાડો થયો છે.
જોકે, સાલ્ગાડોએ નોંધ્યું હતું કે આ મહિના માટે IMFના અંદાજોમાં નબળા ચોમાસાની અસરનો સંપૂર્ણ રીતે સમાવેશ થતો નથી.
તેમણે કહ્યું, “આ અલ નીનો વર્ષ છે. તે ચોમાસાને વિક્ષેપિત કરી શકે છે. ચોમાસામાં વિલંબ થયો હતો. જુલાઈમાં થોડો સુધારો થયો હતો. પરંતુ આપણે રાહ જોવી પડશે અને જોવું પડશે કે આગળ શું થાય છે.”
ભારતે ખામીઓને દૂર કરવા માટે પગલા લીધા
સાલ્ગાડોએ જણાવ્યું હતું કે 2022-23ના GDP બેઝ યરના આધારે આંકડા વિભાગ દ્વારા બેક-સિરીઝ ડેટા જાહેર કર્યા બાદ, IMF આ વર્ષે ભારતના રાષ્ટ્રીય ખાતાઓની ગુણવત્તાનું ફરીથી મૂલ્યાંકન કરશે. આ મૂલ્યાંકન 2026 ના અંતમાં થવાની અપેક્ષા છે.
તેમણે જણાવ્યું હતું કે પુનઃમૂલ્યાંકન પહેલાં જે કેટલાક પગલા લઈ શકાય છે તેમા નેશનલ એકાઉન્ટ્સમાં નવા અને રીબેસ્ડ હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (WPI) અને ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (IIP) ડેટા ને સામેલ કરવાનું સામેલ છે. સાથે જ ઐતિહાસિક GDP ડેટા ને બેસ યર માં કરવામાં આવેલા ફેરફારોને અનુરૂપ બનાવવાનો પણ સમાવેશ થાય છે. પદ્ધતિસરની ખામીઓને કારણે, ભારતના રાષ્ટ્રીય ખાતા ડેટાને ગયા નવેમ્બરમાં IMFનું બીજું સૌથી નીચું ‘C’ રેટિંગ મળ્યું હતું.
આ ખામીઓમાં જૂના બેઝ યર, કિંમતોમાં ફેરફારને એડજસ્ટ કરવા (ડિફ્લેશન) માટે જથ્થાબંધ ભાવ સૂચકાંકો પર વધુ પડતી નિર્ભરતા અને ‘સિંગલ ડિફ્લેશન’નો વ્યાપક ઉપયોગ શામેલ છે.
ત્યારથી, ભારતે આ ચિંતાઓને દૂર કરવા માટે ઘણા પગલાં લીધાં છે. આમાં બેઝ યરને 2022-23 માં સ્થાનાંતરિત કરવું, આઇટમ-લેવલ ડિફ્લેટરનો વ્યાપ વધારવો, ઉત્પાદન માટે ‘ડબલ ડિફ્લેશન’ લાગુ કરવું અને વહીવટી અને ડિજિટલ ડેટા સિસ્ટમ્સને મજબૂત બનાવવી શામેલ છે.
તાજેતરના આર્થિક અંદાજોમાં વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતના વિકાસ દરમાં સામાન્ય ઘટાડો દર્શાવવામાં આવ્યો છે, જ્યારે ત્યારબાદના વર્ષ માટે વધુ મજબૂત વૃદ્ધિની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દર્શાવે છે કે ટૂંકા ગાળાના પડકારો હોવા છતાં મધ્યમ ગાળામાં ભારતના વિકાસ અંગે વૈશ્વિક સંસ્થાઓનો વિશ્વાસ યથાવત છે.
આર્થિક વિશ્લેષકોનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય સંઘર્ષો વૈશ્વિક કોમોડિટી બજારને અસ્થિર બનાવી શકે છે. ખાસ કરીને ઊર્જા પુરવઠા સાથે જોડાયેલા સમુદ્રી માર્ગોમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ વૈશ્વિક સપ્લાય ચેઇનને અસર કરી શકે છે, જેના કારણે કાચા તેલના ભાવમાં અસ્થિરતા વધે છે. આવી સ્થિતિમાં આયાત આધારિત દેશો માટે નાણાકીય દબાણ વધુ વધી શકે છે.
આ દરમિયાન ભારતે પોતાના આર્થિક આંકડાઓને વધુ વિશ્વસનીય અને આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ બનાવવા માટે અનેક સુધારાત્મક પગલાં શરૂ કર્યા છે. નવા આધાર વર્ષના અમલ, આંકડાકીય પદ્ધતિઓમાં સુધારા, કિંમતોના મૂલ્યાંકન માટે વધુ ચોક્કસ માપદંડોનો ઉપયોગ તેમજ ડિજિટલ ડેટા સંગ્રહ વ્યવસ્થાને મજબૂત બનાવવાના પ્રયાસો દેશની આંકડાકીય વ્યવસ્થાને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
નિષ્ણાતોનું માનવું છે કે જો વૈશ્વિક પરિસ્થિતિ સ્થિર રહે અને ચોમાસું સામાન્ય રહે, તો ભારત પાસે આગામી વર્ષોમાં ફરીથી મજબૂત આર્થિક વૃદ્ધિ હાંસલ કરવાની પૂરતી ક્ષમતા છે. જોકે, ઊર્જા આયાત પરની નિર્ભરતા ઘટાડવી, કૃષિને હવામાન પરિવર્તન સામે વધુ સક્ષમ બનાવવી અને માળખાકીય સુધારાઓને સતત આગળ વધારવા જેવા મુદ્દાઓ લાંબા ગાળાની સ્થિર વૃદ્ધિ માટે અત્યંત જરૂરી રહેશે.
ભારતનું એક એવુ અમીર મંદિર જેની સંપત્તિ દુનિયાના 100 દેશોની GDP થી પણ વધુ છે? વાંચો ક્યુ છે આ મંદિર?
કોમનવેલ્થ ગેમ્સ 2026નું આયોજન સ્કોટલેન્ડના ગ્લાસગોમાં થવાનું છે. આ મેગા સ્પોર્ટ્સ ઈવેન્ટમાં ભારતના 126 ખેલાડીઓ મેડલ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. ભારતે કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં અત્યાર સુધીમાં કુલ 564 મેડલ જીત્યા છે. જોકે, વ્યક્તિગત પ્રદર્શનની વાત કરીએ તો એક શૂટરનું નામ સૌથી આગળ આવે છે.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના સૌથી સફળ ખેલાડીનો રેકોર્ડ દિગ્ગજ પિસ્તોલ શૂટર જસપાલ રાણાના નામે છે. તેમણે વર્ષ 1994થી 2006 દરમિયાન ચાર કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો અને કુલ 15 મેડલ જીત્યા હતા. આ રેકોર્ડ હજુ સુધી કોઈ અન્ય ભારતીય ખેલાડી તોડી શક્યો નથી.
જસપાલ રાણાએ પોતાની કોમનવેલ્થ ગેમ્સ કારકિર્દીમાં 9 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. 1994માં કોલંબોમાં યોજાયેલી ગેમ્સથી તેમણે પોતાની સફરની શરૂઆત કરી હતી, જ્યાં તેમણે શૂટિંગમાં અનેક મેડલ જીતીને પોતાની પ્રતિભા સાબિત કરી હતી.
1998માં મલેશિયા અને 2002માં માન્ચેસ્ટર કોમનવેલ્થ ગેમ્સમાં જસપાલ રાણાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને 2002ની ગેમ્સમાં તેમણે ચાર ગોલ્ડ મેડલ જીતીને પોતાની કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિ મેળવી હતી. 2006 મેલબોર્ન કોમનવેલ્થ ગેમ્સ તેમની છેલ્લી સ્પર્ધા રહી હતી.
જસપાલ રાણાનું તાજેતરમાં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું હતું. તેઓ માત્ર એક મહાન શૂટર જ નહીં, પરંતુ યુવા ખેલાડીઓ માટે માર્ગદર્શક પણ હતા. પેરિસ ઓલિમ્પિક દરમિયાન તેઓ મનુ ભાકરના કોચ રહ્યા હતા અને તેમના માર્ગદર્શન હેઠળ મનુ ભાકરે બે બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. (PC:PTI/GETTY/X)
Commonwealth Games: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ કોણે અપાવ્યો હતો? 46.71 સેકન્ડમાં રચ્યો હતો ઈતિહાસકોમનવેલ્થ ગેમ્સ 2026 માટે વિશ્વભરના ખેલાડીઓ તૈયાર છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાનારી આ મેગા સ્પોર્ટ્સ ઈવેન્ટમાં ભારત પણ મેડલ માટે દાવેદારી રજૂ કરશે. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 564 મેડલ જીત્યા છે, જેમાં 203 ગોલ્ડ મેડલ સામેલ છે.
પરંતુ શું તમે જાણો છો કે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ કયા ખેલાડીએ જીત્યો હતો? આ ઐતિહાસિક સિદ્ધિ વર્ષ 1958માં એક દોડવીરે મેળવી હતી, અને ભારતીય રમતગમતના ઈતિહાસમાં પોતાનું નામ અમર કરી દીધું.
ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવવાનો શ્રેય દિગ્ગજ એથ્લીટ મિલ્ખા સિંહને જાય છે. કાર્ડિફમાં યોજાયેલી 1958 કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે 440 યાર્ડ દોડમાં ભાગ લીધો હતો અને શાનદાર પ્રદર્શન કર્યું હતું.
મિલ્ખા સિંહે આ રેસ માત્ર 46.71 સેકન્ડમાં પૂર્ણ કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેમણે દક્ષિણ આફ્રિકાના દોડવીર માલ્કમ ક્લાઈવ સ્પેન્સને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા હતા.
આ માત્ર એક મેડલ નહોતો, પરંતુ ભારતના રમતગમતના ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆત હતી. ‘ફ્લાઈંગ શીખ’ તરીકે જાણીતા મિલ્ખા સિંહે પોતાની કારકિર્દીમાં ચાર એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ પણ જીત્યા હતા. તેમની આ સિદ્ધિ આજે પણ લાખો ખેલાડીઓને પ્રેરણા આપે છે. (PC:PTI/GETTY/X)
ZIM vs IND: ઈંગ્લેન્ડ-આયર્લેન્ડમાં જે થયું તે ઝિમ્બાબ્વેમાં પણ થશે ? ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો માટે મોટો પડકારજો તમે પણ તમારી મોટાભાગની બચત ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રાખો છો, તો આ અહેવાલ તમારા માટે કામનો છે. ભારતમાં આજે પણ મોટાભાગના લોકો FD ને સૌથી સુરક્ષિત રોકાણ માને છે. તેનું કારણ એ છે કે તેમાં રિટર્ન પહેલાથી નક્કી હોય છે અને પૈસા ડૂબવાનું જોખમ ઓછું રહે છે. પરંતુ હવે ઘણા રોકાણકારો બોન્ડ તરફ પણ વળી રહ્યા છે. તેનું સૌથી મોટું કારણ બહેતર ટેક્સ પ્લાનિંગ અને વધુ રિટર્ન મેળવવાની તક છે. જોકે, રોકાણ કરતા પહેલા એ સમજવું જરૂરી છે કે FD અને બોન્ડમાં માત્ર વ્યાજ દર જ નહીં, પરંતુ ટેક્સ અને પૈસા ઉપાડવાના નિયમો પણ અલગ-અલગ છે.
વ્યાજ પર ટેક્સ કેવી રીતે લાગે છે? FD માંથી મળતું વ્યાજ તમારી કુલ આવકમાં ઉમેરાય છે. ત્યારબાદ તમારી ઇનકમ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ ચૂકવવો પડે છે. ધારો કે તમને FD પર 7 ટકા વ્યાજ મળી રહ્યું છે અને તમે 30 ટકા ટેક્સ સ્લેબમાં આવો છો. આવી સ્થિતિમાં ટેક્સ કપાયા પછી તમારું સાચું રિટર્ન ઘણું ઓછું થઈ જાય છે. બોન્ડમાં મળતું વ્યાજ (કૂપન) પણ આ જ રીતે ટેક્સના દાયરામાં આવે છે. ભલે સરકારી બોન્ડ હોય કે કોર્પોરેટ બોન્ડ, વ્યાજ પર ટેક્સ તમારી ઇનકમ ટેક્સ સ્લેબ મુજબ જ લાગશે. તેથી માત્ર વ્યાજ દર જોઈને નિર્ણય લેવો યોગ્ય નથી.
બોન્ડ ક્યાં બાજી મારી જાય છે? અહીં જ બોન્ડ્સ FD કરતા આગળ નીકળી જાય છે. FD માં તમને માત્ર નક્કી કરેલું વ્યાજ મળે છે. પરંતુ લિસ્ટિંગ થયેલા બોન્ડ્સમાં વ્યાજ ઉપરાંત તેની કિંમત વધવાનો (Capital Appreciation) લાભ પણ મળી શકે છે. જો તમે ઊંચા વ્યાજ દરના સમયે બોન્ડ ખરીદ્યો હોય અને પછીથી માર્કેટમાં વ્યાજ દર ઘટી જાય, તો તે બોન્ડની કિંમત વધી શકે છે. જો તમે તેને એક વર્ષ પછી વેચો છો, તો તે નફા પર માત્ર 12.5 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ (LTCG) લાગે છે. ઘણા રોકાણકારો માટે આ ટેક્સ તેમના ઇનકમ ટેક્સ સ્લેબ કરતા ઘણો ઓછો હોઈ શકે છે. આ જ કારણ છે કે ટેક્સ કપાયા પછી બોન્ડનું રિટર્ન ઘણી વાર FD કરતા વધુ સારું નીકળે છે.
જરૂર પડ્યે પૈસા ક્યાંથી ઝડપથી મળશે? FD તમે સમય પહેલાં તોડી શકો છો, પરંતુ બેંક તેના પર પેનલ્ટી લગાવે છે. કેટલીકવાર વ્યાજ દર પણ ઘટાડી દેવામાં આવે છે. બીજી તરફ, લિસ્ટિંગ થયેલા બોન્ડને સ્ટોક એક્સચેન્જ પર બજાર ભાવે વેચી શકાય છે. તેમાં ઇશ્યુઅર તરફથી કોઈ પેનલ્ટી લાગતી નથી. જોકે, બજારના ઉતાર-ચડાવ મુજબ તેની કિંમત ઉપર-નીચે થઈ શકે છે.
તમારે શેમાં પૈસા રોકવા જોઈએ? જો તમારો ધ્યેય ઇમરજન્સી ફંડ બનાવવાનો છે અથવા તમને કોઈ પણ જોખમ વગર નક્કી કરેલું રિટર્ન જોઈએ છે, તો FD શ્રેષ્ઠ વિકલ્પ છે. પરંતુ જો તમે લાંબા ગાળાના રોકાણકાર છો અને ટેક્સ કપાયા પછી પણ વધુ રિટર્ન ઈચ્છો છો, તો સારી રેટિંગ વાળા સરકારી અથવા કોર્પોરેટ બોન્ડ પર વિચાર કરી શકો છો. નાણાકીય નિષ્ણાતો માને છે કે બંનેમાંથી કોઈ એકને પસંદ કરવાને બદલે ઇમરજન્સી ફંડ માટે FD રાખો અને લાંબા ગાળાના પોર્ટફોલિયોનો કઇંક હિસ્સો બોન્ડમાં રોકો. આનાથી જોખમ પણ વહેંચાઈ જશે અને ટેક્સ પછીનું રિટર્ન પણ સારું મળશે.
ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.‘લોકઅપ 2: સચ યા સઝા’ સતત ચર્ચામાં બનેલું છે. તાજેતરમાં જ શિલ્પા શિંદેના વર્તનને કારણે Show સતત ચર્ચામાં રહ્યો હતો. શિલ્પા શિંદેએ શિવાંગી જોશીની અંગત જિંદગી પર કેટલીક આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી, જેના પછી તે ટ્રોલ્સના નિશાના પર આવી ગઈ હતી.
Show દરમિયાન શિલ્પાએ શિવાંગી જોશી પર કોમેન્ટ કરતા કહ્યું હતું કે, તે જે પણ Show માં ગઈ છે, ત્યાં તેના અફેર રહ્યા છે. આ દરમિયાન તેણે શિવાંગીના કુશાલ ટંડન સાથેના પણ કથિત અફેર પર ટિપ્પણી કરી હતી.
Jaise jaise episode aage ja raha hai Harshad is giving me More reason to H@te/dislike him !!
Now look the cute/innocent Girl and his gentle boy #Lockupp2 #ShreyaKalra
pic.twitter.com/MSVrfDdNxA
— αηу (@its_SanyHere) July 20, 2026
હવે સોમવારના એપિસોડ પછી મેકર્સે તાજેતરમાં જ એક પ્રોમો રિલીઝ કર્યો જેના પછી હર્ષદ ચોપરા ટીકાઓનો ભોગ બન્યો છે. ‘લોકઅપ 2’માં તાજેતરમાં જ હર્ષદ ચોપરા, શિવાંગી જોશી અને શ્રેયા કાલરાના ઝઘડામાં કૂદી પડ્યો.
આ દરમિયાન તે શ્રેયા કાલરા તરફ અશ્લીલ ઇશારો કરતો જોવા મળ્યો, જેને લઈને હવે સોશિયલ મીડિયા પર જંગ છેડાઈ ગઈ છે. શ્રેયા કાલરા અને શિવાંગી જોશી વચ્ચે થયેલા ઝઘડા દરમિયાન હર્ષદના રિએક્શને તેને વિવાદોમાં ધકેલી દીધો છે.
‘લોકઅપ 2’માં ખાવાને લઈને થયો ‘ઝઘડો’આ આખા વિવાદનું કારણ એક એવી દલીલ થઈ કે, જેને હર્ષદ સાથે કોઈ લેવાદેવા નહોતા. શિવાંગી જોશી અને શ્રેયા કાલરા વચ્ચે તાજેતરમાં જ ખાવાને લઈને વિવાદ થઈ ગયો. લોકઅપ 2માં કન્ટેસ્ટન્ટ્સને બે ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા છે, જેમાંથી એક ગ્રૂપની લીડર શિવાંગી છે તો બીજાની આકાંક્ષા ચમોલા છે.
શિવાંગીની ટીમની અત્યાર સુધીની સફર શાનદાર રહી છે. અત્યાર સુધીના તમામ ટાસ્ક જીતતા તેમણે આખું અઠવાડિયું સુરક્ષિત કર્યું છે પરંતુ તાજેતરમાં જ ખાવાને લઈને શિવાંગી સાથે શ્રેયા કાલરા ભીડાઈ ગઈ.
શ્રેયા-શિવાંગીના ઝઘડામાં કૂદ્યો ‘હર્ષદ ચોપરા’શ્રેયા કહે છે કે, તે અલગ બેસીને ખાવા માંગે છે પરંતુ શિવાંગી તેને ગૅંગ સાથે બેસીને ખાવા માટે કહે છે. બંને વચ્ચેની આ વાતચીત જલ્દી જ વાદ-વિવાદમાં બદલાઈ ગઈ અને જેમ-જેમ બંને વચ્ચે અસહમતી વધતી ગઈ, ઘરનો માહોલ પણ તણાવપૂર્ણ થઈ ગયો. વિવાદ વધવા પર હર્ષદ ચોપરાએ તેમાં દખલ આપતા શ્રેયાને કહ્યું કે, તે શિવાંગીની વાત સાંભળે, કારણ કે તે લીડર છે અને તેણે તેની વાત માનવી જોઈએ.
શ્રેયા કહે છે કે, તે નથી ઈચ્છતી કે હર્ષદ આ મામલામાં દખલ દે. શ્રેયાની આ વાત સાંભળીને હર્ષદ પોતાનો આપો ખોઈ બેસે છે અને દૂર હટતા પહેલા શ્રેયા તરફ મિડલ ફિંગર બતાવે છે, જેને લઈને હવે તે ટ્રોલ્સથી ઘેરાઈ ચૂક્યો છે.
ટ્રોલ્સના નિશાના પર ‘હર્ષદ ચોપરા’હર્ષદ ચોપરા હવે પોતાની આ જ હરકતને લઈને ટ્રોલ્સના નિશાના પર આવી ગયો છે. અત્યાર સુધી શૉમાં હર્ષદ સ્વીટ અને નોન-વાયોલન્ટ વાળી ઈમેજ જાળવી રહ્યો હતો પરંતુ તેની એક હરકતે તેને ટીકાઓની વચ્ચે લાવીને ઊભો કરી દીધો છે.
આ ક્લિપ વાયરલ થતાં જ ઘણા યુઝર્સે એક્ટરના વર્તનની સખત ટીકા કરી. ઘણા દર્શકોએ હર્ષદને ‘મેનચાઇલ્ડ’ (બાળક જેવી હરકતો કરનારો) કહ્યો, તો વળી ઘણાએ તેને ‘પૂકી’ માંથી ‘વિલન’ નો ટેગ આપી દીધો. કેટલાક યુઝર્સે તો તેને શૉમાંથી હટાવવાની પણ માંગ શરૂ કરી દીધી છે.
Trending Video: એક તીરથી બે નિશાન… ભજીયા તળતાં તળતાં બનાવી ‘ચા’, શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગભારતીય ટીમ 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની T20 શ્રેણી રમશે. ઈંગ્લેન્ડ પ્રવાસની નિરાશા ભૂલીને ટીમ ઈન્ડિયા નવી શરૂઆત કરવા ઉતરશે, પરંતુ હરારેની પિચ પર ભારતીય બેટ્સમેનોની કસોટી થવાની શક્યતા છે.
છેલ્લી બે T20 શ્રેણીમાં આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ભારતીય બેટ્સમેનો શોર્ટ બોલ સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. હવે ઝિમ્બાબ્વેના ઝડપી અને ઉછાળવાળા મેદાન પર પણ વિરોધી ટીમ આ જ રણનીતિ અપનાવી શકે છે.
ઝિમ્બાબ્વે પાસે કેટલાક એવા ઝડપી બોલરો છે, જે શોર્ટ બોલથી ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે. ડાબોડી ફાસ્ટ બોલર રિચર્ડ નગારવા પોતાની યોર્કર અને બાઉન્સર માટે જાણીતો છે. તેણે હરારેમાં શોર્ટ બોલના ઉપયોગથી ઘણા બેટ્સમેનોને પરેશાન કર્યા છે.
નગારવા ઉપરાંત બ્લેસિંગ મુઝારાબાની અને બ્રેડ ઇવાન્સ પણ ભારતીય ટીમ માટે પડકાર બની શકે છે. બંને બોલરો પાસે સારી ગતિ છે અને તેઓ ઉછાળવાળી પિચનો ફાયદો ઉઠાવવામાં સક્ષમ છે.
ટીમ ઈન્ડિયાના કેટલાક યુવા બેટ્સમેનોને તાજેતરમાં શોર્ટ બોલ સામે મુશ્કેલી પડી છે. વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન, અભિષેક શર્મા અને શિવમ દુબે જેવા ખેલાડીઓએ આ પ્રકારના બોલ સામે વિકેટ ગુમાવી છે. હવે ઝિમ્બાબ્વે પ્રવાસમાં આ ખેલાડીઓ કેવી રીતે પોતાની નબળાઈ દૂર કરે છે તેના પર સૌની નજર રહેશે. (PC:PTI/X)
ZIM vs IND: JioStar-SonyLIV નહીં… તો ભારત-ઝિમ્બાબ્વે મેચ ફ્રીમાં ક્યાં અને કેવી રીતે જોવી?અમદાવાદમાં ફ્લેટ વેચવાના નામે એક સિનિયર IPS અધિકારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. ACB (એન્ટી કરપ્શન બ્યુરો) ના DIG પી. એલ. માલ સાથે ₹61 લાખની ઠગાઈ થતાં તેમણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, ચાંદખેડા વિસ્તારમાં આવેલા એક ફ્લેટના સોદા પેટે IPS અધિકારીએ ₹61 લાખની પૂરેપૂરી રકમ ચૂકવી આપી હતી. આમ છતાં, સામે પક્ષે ફ્લેટનો દસ્તાવેજ કરી આપવામાં આવ્યો નહોતો. આ મામલે પી. એલ. માલે અમિત જાની અને તેમની પત્ની સામે છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે. સિનિયર અધિકારીની ફરિયાદના આધારે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ચોમાસામાં નાના બાળકોની સંભાળ કેવી રીતે રાખવી ? બાળરોગ નિષ્ણાતો પાસેથી જાણી લો આ જરૂરી વાતોતમે બધાએ કેટલાક લોકોને એક સાથે બે કામ કરતા જોયા હશે અથવા તો તેના વિશે સાંભળ્યું હશે પરંતુ સામાન્ય રીતે આવું નથી થતું. જો કે, કેટલાક લોકો એટલા ટેલેન્ટેડ હોય છે કે એક સાથે બીજા પણ કામ ચપટી વગાડતાં જ કરી લે છે. સોશિયલ મીડિયા પર પણ આવા લોકોના Video વાયરલ થતા રહે છે.
Trending Video જોઈ લોકો હેરાનહાલમાં એક એવો જ Trending Video સામે આવ્યો છે કે, જેમાં એક વ્યક્તિ એક જ વારમાં ભજીયા (પકોડા) તળતાં તળતાં ચા પણ બનાવી રહ્યો હોય છે. ટૂંકમાં, જેણે પણ આ નજારો લાઈવ જોયો તે તો દંગ જ રહી ગયો. હવે સ્થિતિ એ છે કે, આ વિડીયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
A post shared by hasnain ali soomro (@thatsindhifoodie)
આ દુનિયામાં હુન્નર (ટેલેન્ટ) ની કોઈ કમી નથી. સોશિયલ મીડિયા પર પણ ટેલેન્ટના એકથી એક અનોખા વિડીયો વાયરલ થતા રહે છે. આ વાયરલ વિડીયોમાં પણ તમને કંઈક એવો જ અનોખો હુન્નર જોવા મળશે.
વિડીયોમાં તમે જોઈ શકો છો કે, એક દુકાનદાર મજાથી ભજીયા તળી રહ્યો છે. જો કે, લોકો ત્યારે ચોંકી ગયા જ્યારે તે ભજીયાની સાથે સાથે તેમાં ચા પણ બનાવવા લાગ્યો. સરળ રીતે કહીએ તો, જે અંદાજમાં દુકાનદાર ભજીયા તળતાં તળતાં ચા બનાવી રહ્યો હતો, તેણે સૌને હેરાન કરી દીધા.
અનોખું ટેલેન્ટવિડીયો જોઈને તમારામાંથી કેટલાક લોકોનું મગજ ચકરાવે ચડી ગયું હશે, જ્યારે ઘણા લોકોને તો પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો હશે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર આ વિડીયો છવાયેલો છે. ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયો ‘thatsindhifoodie’ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.
આ વિડીયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. એટલું જ નહીં, આ વિડીયો પર લોકો મજ્જાની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. કેટલાક લોકો આ ટેલેન્ટના ભારે વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કીધું કે, દુકાનદારે તો ધૂમ મચાવી દીધી. બીજા યુઝરે કહ્યું કે, આ તો ગજબ ટેલેન્ટ છે.
Trending Video : કાકા રેલવેની ચાદરમાંથી બનેલો કુર્તો પહેરીને બજારમાં શાકભાજી લેવા નીકળ્યા, જુઓ વાયરલ Videoભારતીય ટીમ ઝિમ્બાબ્વે પહોંચી ગઈ છે, જ્યાં 23 જુલાઈથી ત્રણ મેચની T20 શ્રેણી રમાશે. ઈંગ્લેન્ડ પ્રવાસમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયા હવે જીત સાથે વાપસી કરવા માંગશે.
ભારત-ઝિમ્બાબ્વે T20 શ્રેણીને લઈને ચાહકોમાં ઉત્સાહ છે, પરંતુ મેચના લાઈવ પ્રસારણ અંગે મોટું અપડેટ સામે આવ્યું છે. ચાહકો JioStar અને SonyLIV એપ પર આ શ્રેણીની મેચ જોઈ શકશે નહીં.
મોબાઈલ પર મેચ જોવા માટે ચાહકોને Unite8 Sports એપ અથવા ફેનકોડ એપનો ઉપયોગ કરવો પડશે. જોકે, આ બંને પ્લેટફોર્મ પર મેચ જોવા માટે સબ્સ્ક્રિપ્શન લેવું જરૂરી રહેશે.
જો તમે ટીવી પર મફતમાં મેચ જોવા માંગતા હોવ તો DD સ્પોર્ટ્સ સારો વિકલ્પ છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની T20 શ્રેણી DD સ્પોર્ટ્સ પર પણ પ્રસારિત કરવામાં આવશે.
ઝિમ્બાબ્વે સામેની આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા તાજેતરની હાર ભુલાવી નવી શરૂઆત કરવા ઉતરશે. યુવા ખેલાડીઓ માટે પણ આ પ્રવાસ પોતાની પ્રતિભા સાબિત કરવાની મોટી તક બની રહેશે. (PC:PTI/X)
બે વખતની ચેમ્પિયન ટીમ ODI વર્લ્ડ કપ 2027માંથી થશે બહાર ? ICC એ કટ-ઓફ તારીખ નક્કી કરીNEET પેપર લીક વિરુદ્ધ કોકરોચ જનતા પાર્ટીના બેનર તળે શરૂ થયેલા આંદોલનને શું કોંગ્રેસે હાઈજેક કરી લીધુ છે? આ ચર્ચાએ વેગ પકડ્યો છે. કારણ કે સોમવારે જે આંદોલનનું ફોકસ યુવા વિદ્યાર્થીઓ અને કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ હતા, મંગળવારે તેનો ચહેર રાહુલ ગાંધી બની ગયા. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે તમામ સાંસદ અને બે રાજ્યોના મુખ્યમંત્રી પીએમ આવાસ સુધી પહોંચી ગયા. એટલુ જ નહીં રાહુલ ગાંધીએ એલાન કરી દીધુ કે અમારી એક જ માગ છે કે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામુ આપે. અમને આનાથી ઓછામાં નહીં માનીએ. જો આમ નહીં થાય તો આખી રાત પીએમ આવાસ બહાર ધરણા કરવાનું એલાન પણ કર્યુ.
જો કે આ લખાય છે ત્યાં સુધીમાં અખીલેશ યાદવ, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને મુકુલ વાસનિક સહિતના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવાઈ છે અને તેમને ત્યાંથી ખસેડી લેવામાં આવ્યા છે.
રાહુલ ગાંધી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા ની માગ પર અડગવડાપ્રધાન નિવાસસ્થાનની બહાર ઉભેલા કોંગ્રેસના નેતા જયરામ રમેશે દાવો કર્યો કે અમારી સાથે 120 સાંસદો છે. કર્ણાટકના CM ડી કે શિવકુમાર અને કેરલના મુખ્યમંત્રી વી ડી સતીશન પણ આ તકે દિલ્હી પહોંચ્યા છે. બીજી તરફ સંસદીય કાર્ય મંત્રી જીતેન્દ્ર સિંહે બહાર આવીને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી અને કહ્યુ કે આપની માગો પર વિચાર કરવામાં આવશે. આ ઉપરાંત NEET પેપર લીક પર સદનમાં ચર્ચા કરવામાં આવશે. જો કે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યુ કે અમે અમારી માગ પર અડગ છીએ. જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન નું રાજીનામુ નહીં લેવાય ત્યાં સુધી અહીંથી હટવાના નથી. આ તરફ 30 મિનિટ સુધી રાહુલ ગાંધી સાથે વાતચીત કરવાનો અને તેમને સમજાવવાનો સંસદીય કાર્ય મંત્રી જીતેન્દ્ર સિંહે દાવો કર્યો છતા તેઓ ન માનતા જીતેન્દ્ર સિંહે ટ્વીટ કર્યુ, “રાહુલ ગાંધી તેમની વાત પરથી ફરી ગયા છે. પહેલા તેઓ NEET પેપર લીક મુદ્દે સંસદમાં ચર્ચા કરવાની માગ કરી રહ્યા હતા પરંતુ જ્યારે સરકાર તેના માટે તૈયાર થઈ ગઈ તો હવે તેઓ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા ની માગ કરી રહ્યા છે, રાહુલ તેમની વાત પરથી ફરી ગયા છે.”
CJP ના આંદોલનને કોંગ્રેસે હાઈજેક કર્યુ?આ તમામ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસે આંદોલનને કોકરોચ જનતા પાર્ટીના હાથોમાંથી હાઈજેક કરી લીધુ છે. આ ચર્ચાઓને વેગ એટલે મળી રહ્યો છે કારણ કે મીડિયાના કેમેરામાં આજે રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓ જ દેખાઈ રહ્યા છે. ક્યાંય પણ આંદોલનનો મુખ્ય ચહેરો અને છેલ્લા 22 દિવસથી આમરણ ઉપવાસ કરી રહ્યા છે એ સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની ચર્ચા નથી થઈ રહી. આ પ્રકારે સમગ્ર આંદોલન હવે કોકરોચ જનતા પાર્ટીના હાથોમાંથી નીકળી કોંગ્રેસના હાથોમાં જતુ દેખાઈ રહ્યુ છે.
હાલ કોકરોચ જનતા પાર્ટીએ શરૂ કરેલા આ આંદોલનને તમામ વિપક્ષી ગઠબંધનનનું સમર્થન મળી રહ્યુ છે ચાહે એ કેજરીવાલ એન્ડ કંપની હોય કે પ્રાદેશિક સમાજવાદી પાર્ટી. હવે સત્તાધારી પાર્ટી વર્સિસ વિપક્ષ નું ચિત્ર ઉપસી રહ્યુ છે.
CJP નું આંદોલન વિપક્ષ VS સત્તાપક્ષની લડાઈમાં તબ્દીલહાલ તમામ ઘટનાક્રમને જોતા આગામી બે દિવસ ઘણા મહત્વપૂર્ણ રહેશે અને જોવાનું રહેશે કે આ આંદોલનના નેતાના રૂપે કોણ મોરચો સંભાળે છે. મંગળવારનો દિવસ વિપક્ષી પાર્ટીની ફેવરનો રહ્યો છે. ડિમ્પલ યાદવ, અરવિંદ કેજરીવાલ જેવા નેતા પણ સડકો પર ઉતરી આંદોલનકારીઓના હાલ જાણતા જોવા મળ્યા હતા. તો આ તરફ રાહુલ ગાંધીએ ચુપચાપ પીએમ આવાસ સુધી કૂચ કરી ગયા. આ પ્રકારે આ સમગ્ર આંદોલન હાલ સત્તાપક્ષ VS વિપક્ષ ની લડાઈમાં પરિવર્તિત થઈ રહ્યુ છે. લાંબા સમયથી નબળી પડી રહેલી કોંગ્રેસ માટે આ તક છે, જેમા રાહુલ ગાંધી આ પ્રકારે લીડરના રૂપે દેખાઈ રહ્યા છે.
મમતા બેનર્જી પણ દિલ્હી આવવા તૈયાર, પરંતુ બોલ રાહુલની કોર્ટમાંરાહુલ ગાંધી આ આંદોલનમાં જે પ્રકારે સામે આવ્યા છે તેને જોતા વિપક્ષી ગઠબંધનને મજબૂત કરવાનો તેમની પાસે અવસર છે. મમતા બેનર્જીએ પણ જરૂર CJP નું સમર્થન કરતા જરૂર પડ્યે દિલ્હી આવવાની વાત કરી છે. સમાજવાદી પાર્ટી પણ એક્ટિવ છે. સુપ્રિયા સુલે પણ પહોંચી ચુક્યા છે. પરંતુ રાહુલ ગાંધી આ બધાની આગળ જોવા મળી રહ્યા છે. અગાઉની ચૂંટણીઓમાં હારનો સામનો કરી ચુકેલી કોંગ્રેસ સામે આ ફરીથી બેઠા થવાની તક છે, ત્યારે જોવુ રહેશે કે કોંગ્રેસ આ તકને કેવી રીતે ઝડપે છે અને ભાજપને કેવી રીતે ચેલેન્જ કરે છે?
ભારતનું એક એવુ અમીર મંદિર જેની સંપત્તિ દુનિયાના 100 દેશોની GDP થી પણ વધુ છે? વાંચો ક્યુ છે આ મંદિર?મંગળવારે 21 July ના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં મજબૂત ફિઝિકલ ડિમાન્ડ અને ગ્લોબલ ટ્રેન્ડ્સના કારણે સોનાની કિંમતોમાં 800 રૂપિયાનો વધારો થયો અને તે 1.47 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. લોકલ ટ્રેડર્સના જણાવ્યા અનુસાર, 99.9 ટકા પ્યોરિટી વાળા ગોલ્ડની કિંમત 800 રૂપિયા વધીને 1,47,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (તમામ ટેક્સ સહિત) થઈ ગઈ.
સોમવારે 20 July ના રોજ સોનાનો ભાવ 1,46,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. જો કે, ચાંદીની કિંમત 2,21,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ (તમામ ટેક્સ સહિત) પર સ્થિર રહી. ટ્રેડર્સે જણાવ્યું કે, ઘરેલું બુલિયન માર્કેટમાં સોનાની સતત ખરીદી જોવા મળી, જ્યારે તાજેતરના ઘટાડા બાદ ચાંદીની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી.
HDFC સિક્યોરિટીઝમાં કોમોડિટીઝના સીનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું કે, ‘મંગળવારે સોનાની કિંમતોમાં વધુ વધારો થયો, કારણ કે અમેરિકા-ઈરાન વચ્ચે ફરી શરૂ થયેલા ડિપ્લોમેટિક પ્રયાસોથી જીઓ-પોલિટિકલ ટેન્શન ઓછું થયું, જેનાથી ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો આવ્યો અને બુલિયનને સપોર્ટ મળ્યો.’ તેમણે ઉમેર્યું કે, મજબૂત ફિઝિકલ ડિમાન્ડ ખાસ કરીને ચીન તરફથી અને સેન્ટ્રલ બેન્કોની સતત ખરીદીએ કિંમતી ધાતુઓને સપોર્ટ આપવાનું ચાલુ રાખ્યું.
ગ્લોબલ માર્કેટમાં સ્પોટ ગોલ્ડ 50.12 ડોલર અથવા 1.25 ટકા વધીને 4,057.89 ડોલર પ્રતિ ઓંસ થઈ ગયું અને ચાંદી 4 ટકાથી વધુ વધીને 58.80 ડોલર પ્રતિ ઓંસ થઈ ગઈ.
કોટક સિક્યોરિટીઝમાં AVP કોમોડિટી રિસર્ચ કાયનાત ચેનવાલાએ જણાવ્યું કે, ‘મંગળવારે સ્પોટ ગોલ્ડની કિંમતમાં વધારો થયો અને તે ઈન્ટ્રાડેમાં 4,082 ડોલર પ્રતિ ઓંસના હાઈ લેવલ પર પહોંચી ગયું, કારણ કે આ મેટલ ગયા અઠવાડિયે 4,000 ડોલરથી નીચે આવ્યા બાદ ફરીથી પોતાની સ્થિતિ મજબૂત કરી રહી છે.’
સોનાએ આપ્યું છપ્પરફાડ રિટર્ન ! SGB રોકાણકારોને મળ્યો કમાણીનો સોનેરી મોકો, 1 લાખના બની ગયા ₹3.57 લાખ ! જાણો RBIનો નવો ભાવસોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે એકસાથે મોટી રકમ ખર્ચીને દાગીના ખરીદવા સામાન્ય માણસ માટે મુશ્કેલ બન્યા છે. આ સમસ્યાના ઉકેલ માટે જ્વેલર્સ ખાસ ‘જ્વેલરી સેવિંગ્સ સ્કીમ’ ઓફર કરી રહ્યા છે.
કેવી રીતે કામ કરે છે આ સ્કીમ? આ યોજના હેઠળ ગ્રાહકે દર મહિને એક નક્કી કરેલી રકમ (હપ્તો) જ્વેલર પાસે જમા કરાવવાની હોય છે. સામાન્ય રીતે આ સ્કીમ 10 થી 12 મહિનાની હોય છે, જેમાં નક્કી સમય પૂરો થતાં જમા થયેલી રકમથી દાગીના ખરીદી શકાય છે.
હવે દુકાને વારંવાર ધક્કા ખાવાની જરૂર નથી. મોટાભાગના નામાંકિત જ્વેલર્સે પોતાની મોબાઈલ એપ લોન્ચ કરી છે, જેના દ્વારા ગ્રાહકો ઘરે બેઠા ડિજિટલ માધ્યમથી દર મહિને હપ્તો ભરી શકે છે અને ટ્રેકિંગ પણ કરી શકે છે.
આ સ્કીમનો સૌથી મોટો ફાયદો એ છે કે સ્કીમ પૂરી થવા પર જ્વેલર્સ ગ્રાહકને વધારાનું બોનસ (જેમ કે એક મહિનાનો હપ્તો ફ્રી) આપે છે અથવા દાગીનાના મેકિંગ ચાર્જ (ઘડામણ) પર ભારે ડિસ્કાઉન્ટ કે પૂરેપૂરી માફી આપે છે.
ઘણા લોકો આ સ્કીમને ગોલ્ડ ETF કે સોવરેન ગોલ્ડ બોન્ડ જેવું ઇન્વેસ્ટમેન્ટ સમજે છે, પણ એવું નથી. આ કોઈ શુદ્ધ રોકાણ નથી, કારણ કે આમાં જમા થયેલા પૈસાથી માત્ર ને માત્ર જ્વેલરી જ ખરીદી શકાય છે, રોકડ પાછી મળતી નથી.
પહેલાં માત્ર ફિક્સ હપ્તા જ ભરવાના રહેતા હતા, પરંતુ નવી ડિજિટલ યોજનાઓમાં ગ્રાહક પોતાની અનુકૂળતા મુજબ જ્યારે પણ અને જે રકમ જમા કરાવવા માગે તે કરી શકે છે.
આ સ્કીમ લેતા પહેલાં ગ્રાહકે જ્વેલરની વિશ્વસનીયતા તપાસવી ખૂબ જરૂરી છે. ઉપરાંત સ્કીમ પૂરી થાય ત્યારે સોનાનો ભાવ કયો ગણાશે (શરૂઆતનો કે અંતનો) તેની શરતો ખાસ વાંચી લેવી જોઈએ.
કોના માટે છે આ બેસ્ટ ઓપ્શન? જો તમારા ઘરમાં લગ્નપ્રસંગ છે કે ભવિષ્યમાં દાગીના ખરીદવાનું પ્લાનિંગ છે, તો શિસ્તબદ્ધ બચત કરવા માટે આ સ્કીમ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.
સોનાના ભાવમાં મોટો ધડાકો ! 1980 અને 2011 જેવી મહામંદીના એંધાણ, જાણો બેંક ઓફ અમેરિકાની ડરામણી ચેતવણીએમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) પોતાના મેમ્બર્સને પ્રોવિડન્ટ ફંડ (PF) માંથી એડવાન્સ પૈસા ઉપાડવાની સુવિધા આપે છે. જો તમારા પોતાના લગ્ન હોય અથવા પરિવારમાં પુત્ર, પુત્રી, ભાઈ કે બહેનના લગ્ન હોય અને પૈસાની જરૂરિયાત ઊભી થાય, તો તમે પીએફ ફંડમાંથી રકમ ઉપાડી શકો છો. આ રકમ તમને કોઈ લોનના રૂપમાં નહીં, પરંતુ નક્કી કરેલા નિયમો હેઠળ પીએફ એકાઉન્ટમાંથી આંશિક ઉપાડ (Partial Withdrawal) તરીકે મળે છે. જોકે, લગ્ન માટે પીએફમાંથી પૈસા ઉપાડવાના કેટલાક જરૂરી નિયમો છે. આવી સ્થિતિમાં ક્લેમ કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે તમે કેટલી રકમ ઉપાડી શકો છો, કેટલી વાર આ સુવિધા મળે છે અને ઓનલાઇન ક્લેમ કરવાની રીત શું છે.
લગ્ન માટે PFમાંથી કેટલા પૈસા ઉપાડી શકાય? ઈપીએફઓ ના નિયમો મુજબ, પાત્ર સભ્યો સામાન્ય રીતે પોતાના પીએફ બેલેન્સના 75 ટકા સુધીનો હિસ્સો એડવાન્સ તરીકે ઉપાડી શકે છે.
કેટલી વાર PFમાંથી પૈસા ઉપાડી શકાય? નિયમો અનુસાર, પાત્ર સભ્યો પોતાના સમગ્ર સર્વિસ પિરિયડ દરમિયાન લગ્નના હેતુ માટે વધુમાં વધુ 5 વાર એડવાન્સ ઉપાડની સુવિધાનો લાભ લઈ શકે છે.
કોના લગ્ન માટે PF એડવાન્સ મળી શકે? ઈપીએફઓ ના નિયમો અનુસાર તમે નીચે દર્શાવેલા સભ્યોના લગ્ન માટે પીએફ એડવાન્સનો ક્લેમ કરી શકો છો: પોતાના લગ્ન માટે, દીકરીના લગ્ન માટે, દીકરાના લગ્ન માટે, બહેનના લગ્ન માટે, ભાઈના લગ્ન માટે
PF એડવાન્સ ઓનલાઇન કેવી રીતે ક્લેમ કરવો? જો તમારો UAN નંબર એક્ટિવ છે અને કવાયસી (KYC) કમ્પ્લીટ છે, તો તમે ઘરે બેઠા આસાનીથી પીએફ એડવાન્સ ક્લેમ કરી શકો છો: સૌપ્રથમ EPFO મેમ્બર ઈ-સેવા પોર્ટલ પર જાઓ. તમારા UAN નંબર અને પાસવર્ડ વડે લોગિન કરો. 'Online Services' સેક્શનમાં જઈને 'Claim (Form-31, Form-19 & Form-10C)' સિલેક્ટ કરો. તમારા બેંક એકાઉન્ટ નંબરને વેરિફાઈ કરો અને 'Proceed for Online Claim' પર ક્લિક કરો. 'Form-31' પસંદ કરો અને 'Purpose of Advance' માં 'Marriage' પસંદ કરો. હવે તમારે જેટલી રકમ જોઈએ છે તે દર્શાવીને આવેદન સબમિટ કરો.
કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? લગ્ન માટે EPF એડવાન્સ ક્લેમ કરતા પહેલા કેટલાક જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે. આ માટે તમારો એક્ટિવ UAN નંબર, આધાર કાર્ડ, પાન કાર્ડ, આધાર સાથે લિંક થયેલો મોબાઈલ નંબર તથા બેંક એકાઉન્ટની સાચી વિગતો હોવી જરૂરી છે. આ સિવાય, ક્લેમના સપોર્ટિંગ ડોક્યુમેન્ટ તરીકે લગ્નની કંકોતરી (Wedding Invitation Card) પણ અપલોડ કરવાની માગણી થઈ શકે છે, તેથી તેને પણ સ્કેન કરીને તૈયાર રાખવી.
1kW, 3kW અને 5kW સોલાર પર AC ચલાવવું પડી શકે છે ભારે જો તમે બેટરી વાળો સોલાર સિસ્ટમ લગાવ્યો હશે તો…સુરતમાં અરેઠના મુજલાવ વાવ્યા ખાડી પર પાણી ફરી વળ્યા છે. બીજી તરફ અરેઠના મુજલાવ-બોધન થી પસાર થતી ખાડીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. જેને લઈને રસ્તો બંધ કરી દેવાયો છે. ત્યારે મુખ્ય મથક સુધી પહોંચવા માંડવી, અરેઠ, બારડોલી તાલુકાના લોકોએ 15 થી 20 કિમીનો ફેરો કરવો પડશે. જેને લઈને સ્થાનિકો પરેશાન છે.
આ તરફ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 12 કલાકમાં સુરત શહેરમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે, જેમા સૌથી વધુ પલસાણામાં 5.23 ઈંચ વરસાદ પડ્યો. આ તરફ સુરત શહેરમાં સિઝનનો કૂલ 39 ઈંચ વરસાદ પડ્યો. વરાછાની ખાડી અને કોઝવે ભયજનક સપાટી ઉપર છે. તંત્ર દ્વારા ખાડી અને નદીના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. સુરત જિલ્લામાં પંચાયત હસ્તકના 11 રસ્તા બંધ કરવામાં આવ્યા છે.
વરાછાની ખાડી ભયજનક સપાટી પર પહોંચી છે. કોઝવે પણ ભયજનક સપાટીમાં આવ્યો છે. બાકીની તમામ ખાડીઓ ભયજનક સપાટીથી નીચે છે. બારડોલી, પલસાણા અને કામરેજનું પાણી ખાડીઓમાં આવે છે, જેને લઈને પ્રશાસન દેખરેખ રાખી રહ્યુ છે.
સુરતમાં ફરી હાલાકીના દૃશ્યો સામે આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ગરનાળામાં કેડસમા પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ગરનાળા આસપાસની સોસાયટીમાં પાણી ઘુસતા લોકોની ચિંતા વધી છે. સુરત મહાનગરપાલિકાના પ્રિમોન્સુન પ્લાન ફરી પૂરના પાણીમાં ધોવાઈ ગયો હોય તેવી સ્થિતિ છે.
Input Credit- Mehul Bhokalva, Baldev Suthar- Surat
ભારતનું એક એવુ અમીર મંદિર જેની સંપત્તિ દુનિયાના 100 દેશોની GDP થી પણ વધુ છે? વાંચો ક્યુ છે આ મંદિર?
વરસાદની ઋતુ દરેકને ગમે છે. એક તરફ જ્યાં વરસાદથી ગરમીમાં રાહત મળે છે, તો બીજી તરફ તે પોતાની સાથે ઈન્ફેક્શન પણ લઈને આવે છે. ચોમાસામાં જગ્યા-જગ્યાએ ભરાયેલા ગંદા પાણીમાં પલળવાથી પગમાં ખંજવાળ, લાલાશ (રેડનેસ) અને ફંગલ ઈન્ફેક્શનની સમસ્યા થવી ખૂબ સામાન્ય છે.
પગમાં ભેજ અને પરસેવાના કારણે બેક્ટેરિયા અને ફંગસ ઝડપથી પાંગરવા લાગે છે. આ સમસ્યાથી ઘણા લોકો પરેશાન રહે છે. જો તમે પણ વરસાદના પાણીના કારણે પગની ખંજવાળ અને ઈન્ફેક્શનથી પરેશાન છો, તો દવાઓની સાથે સાથે કેટલાક સરળ ઘરગથ્થુ ઉપાયો અપનાવીને આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.
ઘરે પાછા ફરતાની સાથે જ સૌથી પહેલા તમારા પગને સ્વચ્છ પાણીથી ધોઈ લો. ત્યારબાદ એક ટબમાં નવશેકું (હૂંફાળું) પાણી લો અને તેમાં થોડું સિંધવ મીઠું (સંચળ) ઉમેરો. તેમાં 10-15 મિનિટ માટે પગ બોળીને રાખો. મીઠાના એન્ટી-બેક્ટેરિયલ ગુણ ત્વચામાંથી ફંગસને ખતમ કરવામાં અને ખંજવાળ ઓછી કરવામાં મદદ કરે છે.
લીમડાને એન્ટી-ફંગલ અને એન્ટી-સેપ્ટિક માનવામાં આવે છે. લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી પગ ધુઓ. આ સિવાય, તમે ઈન્ફેક્શન વાળી જગ્યા પર નાળિયેરના તેલમાં લીમડાનું તેલ મિક્સ કરીને પણ લગાવી શકો છો. તેનાથી ખંજવાળ અને બળતરામાં તરત જ આરામ મળશે.
ફંગલ ઈન્ફેક્શનથી છુટકારો મેળવવા માટે તમે 'Tea ટ્રી' ઓઈલનો પણ ઉપયોગ કરી શકો છો. નાળિયેર તેલ અથવા બદામ તેલના થોડા ટીપાંમાં 2-3 ટીપાં 'Tea ટ્રી' ઓઈલ ઉમેરો અને રૂની મદદથી પ્રભાવિત જગ્યા પર લગાવો. આ ફંગસના ગ્રોથને રોકે છે. એક ટબમાં પાણી ભરી લો. ત્યારબાદ તેમાં સરખા પ્રમાણમાં પાણી અને એપલ સાઇડર વિનેગર મિક્સ કરીને ટબમાં નાખો અને તેમાં 15 મિનિટ પગ રાખો. વિનેગરનો એસિડિક સ્વભાવ ફંગલ ઈન્ફેક્શનને ઓછું કરવામાં મદદ કરે છે.
નાહ્યા પછી કે પગ ધોયા પછી આંગળીઓ વચ્ચેની જગ્યાને ટુવાલ વડે સારી રીતે સૂકવો, કારણ કે ભેજ એ ફંગસનું સૌથી મોટું કારણ છે. પગમાં ભેજ રોકવા માટે રોજિંદા ટેલ્કમ પાવડરની જગ્યાએ એન્ટી-ફંગલ પાવડરનો ઉપયોગ કરો. વરસાદના દિવસોમાં બંધ શૂઝ કે ભીના મોજાં પહેરવાનું ટાળો. એવા શૂઝ કે સ્લીપર પહેરો, જેમાંથી હવાની અવાર-જવર જળવાઈ રહે. જો મોજાં વરસાદમાં ભીના થઈ જાય, તો તેને તરત જ ઉતારી દો અને સાફ તથા સૂકા મોજાં જ પહેરો.
જમતી વખતે ‘પાણી’ પીવાની ટેવ છે ? તો જાણી લો તેનાથી શરીરને થતા આ ‘નુકસાન’ભારતીય ફેન્સ માટે વધુ એક રોમાંચક T20 શ્રેણી આવી રહી છે. આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની શ્રેણી પછી હવે ભારતીય ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ છે. શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની T20 સિરીઝ રમશે. આ શ્રેણીમાં પ્રથમ વખત વૈભવ સૂર્યવંશી મુખ્ય ઓપનર તરીકે ટીમમાં સામેલ થયા છે. ઇંગ્લેન્ડ પ્રવાસમાં તેમનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું, પરંતુ હવે ઝિમ્બાબ્વે શ્રેણીમાં તેમની પાસે સ્થાન મજબૂત કરવાની અને મોટો ઇતિહાસ રચવાની સુવર્ણ તક છે.
T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 150 સિક્સરનો રેકોર્ડઝિમ્બાબ્વે પ્રવાસ પર વૈભવ સૂર્યવંશીના નિશાના પર T20 ક્રિકેટનો એક મોટો વર્લ્ડ રેકોર્ડ છે. જો તેઓ ત્રણ મેચની શ્રેણીમાં 11 છગ્ગા લગાવી દેશે, તો T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 150 સિક્સર પૂરી કરનારા વિશ્વના નંબર 1 બેટ્સમેન બની જશે. વૈભવના નામે અત્યાર સુધી 37 ઇનિંગ્સમાં 139 સિક્સર નોંધાયેલી છે.
અત્યાર સુધી આ મામલે યુએઈના મોહમ્મદ વસીમ નંબર 1 પર છે, જેમણે 66 ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું. આ યાદીમાં વેસ્ટઇન્ડીઝના એવિન લુઇસ બીજા અને ક્રિસ ગેલ ત્રીજા સ્થાને છે. જો વૈભવ આ રેકોર્ડ બનાવશે તો તેઓ આ ત્રણેય દિગ્ગજોને પાછળ છોડી દેશે.
T20માં સૌથી ઝડપી 150 સિક્સર લગાવનારા ખેલાડીઓ- મોહમ્મદ વસીમ (UAE): 66 ઇનિંગ્સ
- એવિન લુઇસ (WI): 70 ઇનિંગ્સ
- ક્રિસ ગેલ (WI): 72 ઇનિંગ્સ
સૂર્યકુમાર યાદવને પણ પાછળ છોડી શકે છે વૈભવ, વૈભવે 37 ઇનિંગ્સમાં 139 સિક્સર ફટકારી છે. 11 છગ્ગા લગાવતાં જ તેઓ ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં નંબર 1 બની જશે. ભારત માટે આ રેકોર્ડ 86 ઇનિંગ્સમાં સૂર્યકુમાર યાદવે બનાવ્યો હતો, એટલે કે વૈભવ સૂર્યાનો રેકોર્ડ પણ તોડી શકે છે.
ઇંગ્લેન્ડ સામે કેવું રહ્યું હતું પ્રદર્શન?ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીએ ત્રણ ઇનિંગ્સમાં 42 રન બનાવ્યા હતા. તેમણે 27 બોલનો સામનો કરીને 5 સિક્સર અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો. મેચ પ્રમાણે તેમણે 12 બોલમાં 14 રન, 5 બોલમાં 13 રન અને 10 બોલમાં 15 રન બનાવ્યા હતા.
ભારત અને ઝિમ્બાબ્વે T20 સિરીઝનું શેડ્યૂલ- પ્રથમ T20: 23 જુલાઈ, હરારે (ઝિમ્બાબ્વે) (સાંજે 4.30 વાગ્યે)
- બીજી T20: 25 જુલાઈ, હરારે (ઝિમ્બાબ્વે) (સાંજે 4.30 વાગ્યે)
- ત્રીજી T20: 26 જુલાઈ, હરારે (ઝિમ્બાબ્વે) (સાંજે 4.30 વાગ્યે)
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિંકુ સિંહ, હર્ષ દુબે, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).
Ind vs Eng : બેન ડકેટે ભારત સામે 141 રન ફટકારીને તોડ્યો યુવરાજ સિંહનો રેકોર્ડ, રોહિત શર્મા પણ ટોપ 5 ની યાદીમાં સામેલ2027માં યોજાનારા ODI વર્લ્ડ કપને લઈને ICCએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની યજમાનીમાં યોજાનારી આ ટૂર્નામેન્ટ માટે સીધા ક્વોલિફાય થવાના નિયમો નક્કી કરવામાં આવ્યા છે. ICCએ સીધી એન્ટ્રી માટે 30 સપ્ટેમ્બર 2026ની કટ-ઓફ તારીખ નક્કી કરી છે.
યજમાન દેશો દક્ષિણ આફ્રિકા-ઝિમ્બાબ્વે ક્વોલિફાયICCના નિયમ મુજબ, યજમાન દેશો સીધા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરશે. એટલે કે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેનું સ્થાન પહેલાથી જ નક્કી છે. આ સિવાય 30 સપ્ટેમ્બર 2026ના રોજ ICC ODI રેન્કિંગમાં ટોચની ટીમોને વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળશે.
ભારત-પાકિસ્તાન સીધું ક્વોલિફાય થશે!હાલની સ્થિતિ પ્રમાણે ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવી ટીમોનું સીધું ક્વોલિફાય થવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. બીજી તરફ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ પણ રેન્કિંગના આધારે રેસમાં આગળ છે. જોકે, વેસ્ટ ઈન્ડિઝ માટે સ્થિતિ ચિંતાજનક બની છે.
The ICC has made a significant change to the 2027 ODI World Cup format. While 14 teams will qualify for the tournament in South Africa, Zimbabwe and Namibia, only 11 will directly enter the group stage. The remaining three teams will compete in a Super Series, with just one… pic.twitter.com/s45jTtvv3Y
— Sportstar (@sportstarweb) July 21, 2026
વેસ્ટ ઈન્ડિઝ થશે બહાર?
બે વખતની ODI વર્લ્ડ કપ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ હાલમાં ICC ODI રેન્કિંગમાં 10મા સ્થાને છે. જો કેરેબિયન ટીમ 30 સપ્ટેમ્બર 2026 સુધી પોતાના રેન્કિંગમાં મોટો સુધારો નહીં કરે તો તેને ફરી એકવાર ક્વોલિફાયર ટૂર્નામેન્ટ રમવી પડી શકે છે. આ પહેલા 2023ના ODI વર્લ્ડ કપ માટે પણ વેસ્ટ ઈન્ડિઝ ક્વોલિફાય થઈ શક્યું નહોતું.
વેસ્ટ ઈન્ડિઝ માટે દરેક મેચ મહત્વપૂર્ણવેસ્ટ ઈન્ડિઝ માટે મુશ્કેલી એ પણ છે કે કટ-ઓફ તારીખ સુધી તેને ખૂબ ઓછી ODI મેચ રમવાની તક મળશે. તેથી દરેક મેચ તેમના માટે મહત્વપૂર્ણ બની રહેશે. હવે બે વખતની ચેમ્પિયન ટીમ સામે મોટો પડકાર છે કે તે રેન્કિંગમાં સુધારો કરીને સીધું વર્લ્ડ કપમાં સ્થાન મેળવે અથવા ફરી ક્વોલિફાયરનો રસ્તો અપનાવે.
ZIM vs IND: રોહિત શર્માના નજીકના વ્યક્તિએ છોડી ટીમ ઈન્ડિયા, ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી ગાયબસોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે એકસાથે મોટી રકમ ખર્ચીને દાગીના ખરીદવા સામાન્ય માણસ માટે મુશ્કેલ બન્યા છે. આ સમસ્યાના ઉકેલ માટે જ્વેલર્સ ખાસ ‘જ્વેલરી સેવિંગ્સ સ્કીમ’ ઓફર કરી રહ્યા છે.
કેવી રીતે કામ કરે છે આ સ્કીમ? આ યોજના હેઠળ ગ્રાહકે દર મહિને એક નક્કી કરેલી રકમ (હપ્તો) જ્વેલર પાસે જમા કરાવવાની હોય છે. સામાન્ય રીતે આ સ્કીમ 10 થી 12 મહિનાની હોય છે, જેમાં નક્કી સમય પૂરો થતાં જમા થયેલી રકમથી દાગીના ખરીદી શકાય છે.
હવે દુકાને વારંવાર ધક્કા ખાવાની જરૂર નથી. મોટાભાગના નામાંકિત જ્વેલર્સે પોતાની મોબાઈલ એપ લોન્ચ કરી છે, જેના દ્વારા ગ્રાહકો ઘરે બેઠા ડિજિટલ માધ્યમથી દર મહિને હપ્તો ભરી શકે છે અને ટ્રેકિંગ પણ કરી શકે છે.
ઘણા લોકો આ સ્કીમને ગોલ્ડ ETF કે સોવરેન ગોલ્ડ બોન્ડ જેવું ઇન્વેસ્ટમેન્ટ સમજે છે, પણ એવું નથી. આ કોઈ શુદ્ધ રોકાણ નથી, કારણ કે આમાં જમા થયેલા પૈસાથી માત્ર ને માત્ર જ્વેલરી જ ખરીદી શકાય છે, રોકડ પાછી મળતી નથી.
આ સ્કીમનો સૌથી મોટો ફાયદો એ છે કે સ્કીમ પૂરી થવા પર જ્વેલર્સ ગ્રાહકને વધારાનું બોનસ (જેમ કે એક મહિનાનો હપ્તો ફ્રી) આપે છે અથવા દાગીનાના મેકિંગ ચાર્જ (ઘડામણ) પર ભારે ડિસ્કાઉન્ટ કે પૂરેપૂરી માફી આપે છે.
વર્ષ 1975 પછી જ્યારે પણ સોનાના ચાર્ટ પર 'ડેથ ક્રોસ' બન્યો છે, ત્યારે 70% વખત આગામી 40 થી 50 દિવસમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.
પહેલાં માત્ર ફિક્સ હપ્તા જ ભરવાના રહેતા હતા, પરંતુ નવી ડિજિટલ યોજનાઓમાં ગ્રાહક પોતાની અનુકૂળતા મુજબ જ્યારે પણ અને જે રકમ જમા કરાવવા માગે તે કરી શકે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોના માટે $4,000 પ્રતિ ઔંસનું લેવલ ખૂબ મહત્વનું હતું. આ સ્તર તૂટતાની સાથે જ બજાર પર મંદડિયાઓ પકડ મજબૂત કરી ચૂક્યા છે.
ઐતિહાસિક પેટર્નના આધારે વૈશ્વિક બજારમાં સોનું ઘટીને પહેલા $3,600 પ્રતિ ઔંસ અને ત્યારબાદ $3,315 પ્રતિ ઔંસના સ્તર સુધી નીચે આવી શકે છે.
જો તમે સોનામાં નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં બજારના આ કરેક્શન પર નજર રાખવી જ સમજદારીથી પગલું રહેશે.
સોનાએ આપ્યું છપ્પરફાડ રિટર્ન ! SGB રોકાણકારોને મળ્યો કમાણીનો સોનેરી મોકો, 1 લાખના બની ગયા ₹3.57 લાખ ! જાણો RBIનો નવો ભાવઅમદાવાદના બોપલ, ઘુમા અને શેલા બાદ હવે અમદાવાદના ઝુંડાલ અને ચાંદખેડામાં દીપડો દેખાતા અમદાવાદીઓમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગની ટીમ જ્યારે શેલા વિસ્તારમાં દીપડાને શોધી રહી હતી ત્યાં જ આ જંગલી પ્રાણી ત્યાંથી 25 કિલોમીટર દૂર ઝુંડાલ ચાંદખેડા વિસ્તારમાં આંટા મારતો કેમેરામાં કેદ થયો છે. જે જગ્યાએ દીપડો દેખાયો તેની આસપાસ બે થી ત્રણ ઈન્ટરનેશન સ્કૂલ પણ આવેલી છે. જેને લઈને સ્કૂલે જતા બાળકો, વાલીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ એ જ દીપડો છે જે ઘુમા વિસ્તારમાં દેખાયો હતો. શું અમદાવાદમાં બીજો દીપડો ઘુસી આવ્યો છે? આવો સવાલ પણ હવે શહેરીજનો કરી રહ્યા છે કારણ કે 20-22 કિલોમીટરનું અંતર એક રાતમાં કાપીને દીપડો ઝુંડાલ સુધી કેવી રીતે પહોંચ્યો તેને લઈને વન વિભાગ પણ વિચારમાં પડી ગયુ છે. વન વિભાગ અને રેસ્ક્યુ ટીમ દ્વારા હવે ઝુંડાલ વિસ્તારની આસપાસ ડ્રોન કેમેરા અને પાંજરા ગોઠવીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. શહેરના એક બાદ એક વિસ્તારમાં દીપડો દેખાતા અમદવાદીઓમાં ડરનું મોજુ ફેલાઈ ગયુ છે. ખાસ કરીને જે ઘરોમાં નાના બાળકો છે, તેમના માતાપિતાની ચિંતા વધુ ઘેરી બની છે.
ઝુંડાલમાં દીપડો દેખાયો હોવાનો એક કેફે સંચાલકે દાવો કર્યો છે અને પોતાની કારમાંથી આ દીપડાનો ફોટો કેપ્ચર કર્યો હતો. કેફે સંચાલકે ફોરેસ્ટ વિભાગને પણ જાણ કર્યાનો દાવો કર્યો છે. જો કે ફોરેસ્ટ વિભાગે દીપડો દેખાવા અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ કરી નથી. ઘુમામાં દેખાયેલો દીપડો આ જ છે કે બીજો છે તેને લઈને પણ અટકળો છે.
હાલ તો લોકોની એક જ માગ છે કે વન વિભાગ ઝડપથી કાર્યવાહી કરી દીપડાને પાંજરે પૂરે. જો કે બીજી તરફ વન વિભાગનું કહેવું છે કે જો ખરેખર ઝુંડાલ-ચાંદખેડાં વિસ્તારમાં દીપડો દેખાયો હોય તો તે ઘુમાવાળો જ છે કે કેમ તે હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે.
Input Credit- Narendra Rathod- Ahmedabad
ભારતનું એક એવુ અમીર મંદિર જેની સંપત્તિ દુનિયાના 100 દેશોની GDP થી પણ વધુ છે? વાંચો ક્યુ છે આ મંદિર?જીવન જરૂરિયાત પ્રોડકટસને ઓનલાઇન મંગાવવાનો ટ્રેન્ડ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ વધી ગયો છે. ઘરનું રાશન હોય, કપડાં હોય કે દવાનો સામાન, બધું જ ઓનલાઇન મળી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ઘણા ઓનલાઇન ડિલિવરી પ્લેટફોર્મ પર એવી આર્ટિફિશિયલ જ્વેલરી વેચવામાં આવી રહી છે, જેનાથી કેન્સર જેવી ગંભીર બીમારીનું જોખમ ઊભું થાય છે? જાણો શું છે આ આખો મામલો.
યુકેમાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો: એવું કહેવાય છે કે જો આર્ટિફિશિયલ જ્વેલરી જેમ કે નેકલેસ, રિંગ અને ઇયરરિંગ્સનો ઉપયોગ લાંબા સમય સુધી કરવામાં આવે, તો કેન્સરનું જોખમ વધે છે. અહીં ઓનલાઇન મળતી એવી જ્વેલરીની વાત થઈ રહી છે જેમાં નિર્ધારિત મર્યાદા કરતાં 9000 ગણું વધુ કેડમિયમ ભેળવવામાં આવી રહ્યું હતું. આ કિસ્સો યુકેમાં સામે આવ્યો છે, જ્યાં ઓનલાઇન અને લોકલ માર્કેટમાં વેચાતી નકલી જ્વેલરીમાં કેડમિયમ અથવા સીસું ઉમેરવામાં આવતું હતું. ત્યાં કેડમિયમ ભેળવવાની મર્યાદા 0.01 ટકા નક્કી કરવામાં આવી છે, પરંતુ તપાસમાં જે સામે આવ્યું તે અત્યંત ચોંકાવનારૂં હતું.
રીસર્ચમાં શું ખુલાસો થયો? આર્ટિફિશિયલ જ્વેલરીમાં કેડમિયમની હદથી વધારે ભેળસેળનો રિપોર્ટ 'ધ સન્ડે ટાઇમ્સ'ના ઇન્વેસ્ટિગેશનમાં પબ્લિશ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ મુજબ, પોપ્યુલર ઓનલાઇન પ્લેટફોર્મ્સ એવી વીંટી, નેકલેસ અને ઇયરરિંગ્સ વેચી રહ્યા હતા જેમાં કેડમિયમની ભેળસેળ 9000 ગણી વધારે હતી.
નિયમ મુજબ યુકેમાં આર્ટિફિશિયલ જ્વેલરીમાં 0.01 ટકાથી વધુ કેડમિયમ ન હોવું જોઈએ. પરંતુ તપાસમાં જોવામાં આવ્યું કે જે પ્રોડક્ટને '925 સિલ્વર' એટલે કે 92.5 ટકા ચાંદીથી બનેલી બતાવીને વેચવામાં આવી રહી હતી, તે વીંટીમાં 92 ટકા હિસ્સો ચાંદીનો નહીં પણ ઝેરી કેડમિયમનો હતો. આ સિવાય એક બ્રેસલેટમાં 3300 ગણું વધુ કેડમિયમ મળ્યું હતું. તપાસ બાદ આ તમામ પ્રોડક્ટ્સને માર્કેટમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી.
કેન્સર, કિડની અને લીવરની બીમારીનું જોખમ: યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીનું કહેવું છે કે જો કેડમિયમ ધાતુનો કોઈને કોઈ રીતે લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે, તો તેનાથી માત્ર કેન્સર જ નહીં પરંતુ કિડની અને લીવર સંબંધિત ગંભીર બીમારીઓ પણ થાય છે. કિંગ્સ કોલેજ લંડનના પ્રોફેસર ક્રિસ્ટર હોગસ્ટ્રેન્ડે જણાવ્યું હતું કે આવા હેવી મેટલથી કિડનીનું કેન્સર થઈ શકે છે. લીવરને નુકસાન પહોંચાડવા ઉપરાંત આ ઝેરી તત્વો હાડકાં નબળાં પાડતી બીમારી ઓસ્ટિયોપોરોસિસનો ભોગ પણ બનાવી દે છે.
ઇયરરિંગ્સ વાપરવામાં સૌથી વધુ જોખમ: રિપોર્ટ જણાવે છે કે આ પ્રકારની જ્વેલરીમાં ઇયરરિંગ્સથી સૌથી વધુ જોખમ રહે છે. કારણ કે કાન વિંધાયેલો હોવાથી ઇયરરિંગ્સ ત્વચાના સીધા સંપર્કમાં આવે છે. આ રીતે શરીરમાં ઝેરી ધાતુ સરળતાથી પ્રવેશ કરી જાય છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે ભારતમાં પણ આર્ટિફિશિયલ જ્વેલરીનો મોટા પાયે ઉપયોગ થાય છે, તેથી અહીં કયા લેવલ પર આવી હેવી મેટલ્સની ભેળસેળ થઈ રહી હશે તે પોતાનામાં જ એક ચિંતાનો વિષય છે.
ક્યાંક દેડકાના લગ્ન તો ક્યાંક ગધેડા ખાશે ગુલાબજાંબુ! વરસાદ લાવવા માટે ભારતમાં લોકો કરી રહ્યા છે અનોખો જુગાડ…ઈંગ્લેન્ડ શ્રેણીમાં મળેલી હાર બાદ, ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફારો શરૂ થયા છે. ભારતીય કોચિંગ સ્ટાફમાંથી એક અગ્રણી નામ દૂર કરવામાં આવ્યું છે. ફિલ્ડિંગ કોચ ટી દિલીપે ટીમ ઈન્ડિયાથી અલગ થઈ ગયો છે.
ઈંગ્લેન્ડ શ્રેણીમાં હાર બાદ ટીમ ઈન્ડિયા T20 સિરીઝ માટે હવે ઝિમ્બાબ્વે જવા રવાના થઈ ગઈ છે. ફિલ્ડિંગ કોચ ટી દિલીપ ટીમ સાથે ગયો નથી. કારણ કે ટીમ ઈન્ડિયા સાથેનો તેનો કરાર સમાપ્ત થઈ ગયો છે.
રાહુલ દ્રવિડના હેડ કોચ બન્યા પછી ટી દિલીપ 2021 ના અંતમાં ટીમ ઈન્ડિયામાં જોડાયો હતો. દ્રવિડના ગયા પછી તે ગૌતમ ગંભીરની ટીમમાં જોડાયો હતો. એવું કહેવાય છે કે રોહિત શર્માની વિનંતી પર તેનો કરાર એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો.
ટી દિલીપ એ વ્યક્તિ છે જેણે ટીમ ઈન્ડિયામાં ફિલ્ડિંગ મેડલનો સિલસિલો શરુ કર્યો હતો. દરેક મેચ પછી શ્રેષ્ઠ ફિલ્ડિંગ પ્રદર્શન કરનાર ખેલાડીને આ મેડલ આપવામાં આવે છે. આ વલણ 2023 વર્લ્ડ કપ દરમિયાન શરૂ થયું હતું અને 2024 અને 2026 T20 વર્લ્ડ કપ જીત દરમિયાન પણ ચાલુ રહ્યું.
ટી દિલીપ પાસે ન્યુરો-લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગમાં પ્રમાણપત્ર, તેમજ સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ (S&C) લેવલ 1 અને Translating... લેવલ 3 લાયકાત ધરાવે છે. (PC-GETTY IMAGES)
ZIM vs IND: વિરાટ કોહલીથી અભિષેક શર્મા સુધી… ઝિમ્બાબ્વેમાં ટીમ ઈન્ડિયાના 22 ખેલાડીઓએ કર્યું T20 ડેબ્યૂટીમ ઈન્ડિયા 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે T20 શ્રેણી રમવા ઉતરશે. ઝિમ્બાબ્વેમાં ભારતનો આ પાંચમો T20 શ્રેણી પ્રવાસ હશે. અત્યાર સુધી ભારતીય ટીમે 2010, 2015, 2016 અને 2024માં અહીં T20 શ્રેણીઓ રમી છે. આ ચાર પ્રવાસ દરમિયાન કુલ 22 ભારતીય ખેલાડીઓએ ઝિમ્બાબ્વેની ધરતી પર પોતાનું T20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું છે.
2010માં કોહલી-અશ્વિન સહિત ચારનું ડેબ્યૂભારતના 2010ના પ્રથમ ઝિમ્બાબ્વે T20 પ્રવાસમાં ચાર ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું હતું. તેમાં વિરાટ કોહલી, આર અશ્વિન, નમન ઓઝા અને અમિત મિશ્રાનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે વિરાટ કોહલી અને અશ્વિને આ પ્રવાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય T20 કારકિર્દીની શરૂઆત કરી હતી.
All set for exciting T20I action as Zimbabwe take on India at Harare Sports Club, with the series opener happening this Thursday.#ZIMvIND #ExperienceZimbabwe pic.twitter.com/5GPwMpWmoM
— Zimbabwe Cricket (@ZimCricketv) July 21, 2026
2015માં ઝિમ્બાબ્વેમાં છ ખેલાડીઓનું ડેબ્યૂ થયું
વર્ષ 2015માં ટીમ ઈન્ડિયાના ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન છ ખેલાડીઓને તક મળી હતી. મનીષ પાંડે, કેદાર જાધવ, સ્ટુઅર્ટ બિન્ની, અક્ષર પટેલ, સંદીપ શર્મા અને સંજુ સેમસને અહીંથી પોતાની T20 આંતરરાષ્ટ્રીય સફર શરૂ કરી હતી. આમાંથી મોટાભાગના ખેલાડીઓએ હરારેમાં ડેબ્યૂ કર્યું હતું.
2016માં રાહુલ-ચહલ સહિત સાતનું ડેબ્યૂ2016નો ઝિમ્બાબ્વે પ્રવાસ પણ ભારતીય ક્રિકેટ માટે મહત્વપૂર્ણ રહ્યો હતો. આ પ્રવાસમાં કેએલ રાહુલ, મનદીપ સિંહ, ઋષિ ધવન, જયદેવ ઉનડકટ, યુઝવેન્દ્ર ચહલ, ધવલ કુલકર્ણી અને બરિન્દર શ્રાને T20 ડેબ્યૂ કરવાની તક મળી હતી.
Finally Come To India Team
– Abhishek Sharma, Nitish Kumar Reddy Debut Against Zimbabwe Series.
– Leader Of The Shubman Gill in India Team .
– Ready To Shine in Blue’s #AbhishekSharma | #NitishReddy | #OrangeArmy | #Teamindia pic.twitter.com/0QsNnQngWo
— Abhishek Sharma Fc (@Abhishek_Fan_) June 24, 2024
2024માં પાંચ ભારતીય ખેલાડીઓનું ડેબ્યૂ થયું
ત્યારબાદ 2024ના પ્રવાસમાં પણ પાંચ ભારતીય ખેલાડીઓએ પોતાની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેમાં અભિષેક શર્મા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, સાઈ સુદર્શન અને તુષાર દેશપાંડે સામેલ હતા. હવે 2025ના ઝિમ્બાબ્વે પ્રવાસમાં પણ કેટલાક નવા ખેલાડીઓને તક મળી શકે છે અને આ યાદીમાં નવા નામ ઉમેરાઈ શકે છે.
SL vs IND: શ્રીલંકા પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાને લઈને મોટા અપડેટ, બુમરાહ-જાડેજાની થશે વાપસી !દિલ્હીમાં પીએમ હાઉસ નજીક ધરણા પર બેઠેલ કોંગ્રેસના સાસંદોને મળવા કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહ આવ્યા હતા. જ્યા રાહુલ ગાંધી અને જિતેન્દ્રસિંહ વચ્ચે વાતચીત થઈ હતી. રાહુલ ગાંધીએ સંસદમાં ચર્ચા કરવાની માંગ રાખતા સરકારે તે માંગ સ્વીકારી લીધી હતી. જો કે, જિતેન્દ્રસિંહ આ વાતની જાણ રાહુલ ગાંધીને કરી ત્યારે તેમણે શિક્ષણ પ્રધાનના રાજીનામાની નવી માંગ રાખી હોવાની વાત જિતેન્દ્રસિંહ કરી હતી. જિતેન્દ્રસિંહે કહ્યું કે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ચર્ચામાં નહીં ઘર્ષણમાં રસ છે.
જો કે, દિલ્હી પોલીસે, ધરણા સ્થળેથી એક પછી એક નેતાઓને ઉપાડીને ધરણાસ્થળેથી દૂર કર્યાં છે. જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિતના અનેક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસે પીએમ નિવાસ નજીકનો વિસ્તાર ક્લિયર કરી નાખ્યો છે.
પેપર લીકના મુદ્દા પર વિપક્ષ કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ચોમાસુ સત્રના બીજા દિવસે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી સહિત અગ્રણી નેતાઓએ શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે પ્રધાનમંત્રીના નિવાસસ્થાન બહાર ધરણા કર્યા છે. ધરણા પહેલા, કોંગ્રેસના નેતાઓ સંસદથી પીએમના નિવાસસ્થાન સુધી કૂચ કરી. લગભગ એક કલાક પછી, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ કોંગ્રેસના નેતાઓને મળવા માટે વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા. તેઓએ ધરણા કરી રહેલા રાહુલ ગાંધી સાથે વાતકરીને ડેડલોક દૂર કરવા અરજ કરી હતી.
#WATCH | Delhi: Union Minister Jitendra Singh reaches Lok Kalyan Marg and speaks with Lok Sabha LoP Rahul Gandhi over Congress’s ongoing protest here. pic.twitter.com/Qw91kxoURi
— ANI (@ANI) July 21, 2026
વડાપ્રધાન નિવાસ સ્થાને વિરોધ પ્રદર્શન પહેલાં, રાહુલ ગાંધીએ X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરી, જેમાં જણાવ્યું હતું કે, “અમે ગઈકાલે જંતર મંતર ખાતે યુવાન વિદ્યાર્થીઓ પર થયેલા ક્રૂરતાના જવાબો માંગવા માટે વડા પ્રધાન મોદીના ઘર તરફ કૂચ કરી રહ્યા છીએ. સરકાર ન તો આની જવાબદારી લેવા માંગે છે કે ન તો સંસદમાં તેના પર ચર્ચા કરવા માંગે છે. ભારતના યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે.”
We have marched to PM Modi’s house to demand answers from him for the brutalities against young students yesterday.
The Government doesn’t want to take any accountability or does it want to have a debate on it in Parliament.
PM and HM must resign for destroying the future of… pic.twitter.com/gnU3ZkRKDx
— Rahul Gandhi (@RahulGandhi) July 21, 2026
અગાઉ, મીડિયા સાથે વાત કરતા, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશભરના વિદ્યાર્થીઓને લાગે છે કે તેમનું કોઈ ભવિષ્ય બચ્યું નથી, છતાં આ સરકારના મંત્રીઓ ફક્ત પોતાની બેઠકો બચાવવાની ચિંતા કરે છે. રાહુલે ટિપ્પણી કરી હતી કે જે દેશમાં વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ગુમાવે છે પરંતુ મંત્રીઓ તેમના પદ ગુમાવતા નથી, ત્યાં કોઈ ન્યાય નથી. તેમણે પુનરોચ્ચાર કર્યો કે સરકાર જવાબદારી સ્વીકારવા તૈયાર નથી.
Breaking News : પેપર લીકના દોષિતોને કડક સજા મળશે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થવા દઈશું નહીં : PM Modiભારતીય ટીમ 4 ઓગસ્ટે શ્રીલંકા પ્રવાસ માટે રવાના થશે, જ્યાં તે બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે. શ્રેણીની શરૂઆત પહેલા ટીમ કોલંબોમાં 7 ઓગસ્ટથી ચાર દિવસની વોર્મ-અપ મેચ રમશે. આ દરમિયાન ટેસ્ટ ટીમની જાહેરાત આ અઠવાડિયામાં થવાની સંભાવના છે.
ટીમની પસંદગીને લઈને સૌથી મોટું અપડેટ જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને લઈને છે. મીડિયા અહેવાલો મુજબ બંને અનુભવી ખેલાડીઓ ટેસ્ટ ટીમમાં વાપસી કરી શકે છે. બુમરાહ ઈજાને કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર હતો અને જાડેજાને આરામ આપવામાં આવ્યો હતો.
બીજું મોટું અપડેટ વોશિંગ્ટન સુંદરને લઈને છે. ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણી દરમિયાન હેમસ્ટ્રિંગ ઈજાનો ભોગ બનેલા સુંદરની ફિટનેસ હજુ સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી. પસંદગીકારો તેની તબિયતને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય લઈ શકે છે.
આ ઉપરાંત માનવ સુથાર અને કુલદીપ યાદવને ટેસ્ટ ટીમમાં સ્થાન મળવાની શક્યતા મજબૂત માનવામાં આવી રહી છે. પેસ આક્રમણમાં મોહમ્મદ સિરાજ, ગુરનૂર બ્રાર અને પ્રસિદ્ધ કૃષ્ણા પણ ટીમનો ભાગ બની શકે છે.
ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ભારત માટે આ ટેસ્ટ શ્રેણી મહત્વપૂર્ણ રહેશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની રેસમાં ટકી રહેવા માટે શ્રીલંકા સામે સારો દેખાવ જરૂરી છે. આ શ્રેણી બાદ ભારત ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીઓ પણ રમવાનું છે. (PC:PTI/X)
SL vs IND: 15 ઓગસ્ટે શરૂ થશે ભારત-શ્રીલંકા ટેસ્ટ, ભારતીય ક્રિકેટમાં બીજી વખત બનશે અનોખો સંયોગભારતીય રિઝર્વ બેંક (RBI) ની સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) 2019-20 સીરીઝ-8 એ રોકાણકારો માટે કમાણીનો નવો ઇતિહાસ રચી દીધો છે. જે રોકાણકારોએ વર્ષ 2020 માં આ સરકારી બોન્ડ સ્કીમમાં વિશ્વાસ મૂકીને પૈસા રોક્યા હતા, તેમને આજે માત્ર સોનાના ભાવમાં આવેલી અભૂતપૂર્વ તેજીના કારણે જ 257 ટકાથી પણ વધુનું ચક્રવૃદ્ધિ જેવું તગડું રિટર્ન મળી રહ્યું છે. આ કમાણીએ પરંપરાગત ફિક્સ ડિપોઝિટ કે અન્ય સુરક્ષિત રોકાણોના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
કોના માટે છે આ બેસ્ટ ઓપ્શન? જો તમારા ઘરમાં લગ્નપ્રસંગ છે કે ભવિષ્યમાં દાગીના ખરીદવાનું પ્લાનિંગ છે, તો શિસ્તબદ્ધ બચત કરવા માટે આ સ્કીમ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ સ્કીમની સૌથી મોટી ખાસિયત એ છે કે, રોકાણકારોને મળેલું ₹3.57 લાખનું આ મૂલ્ય માત્ર સોનાના ભાવ વધારા (Capital Appreciation) નું છે. આ કમાણી ઉપરાંત, ભારત સરકાર તરફથી રોકાણકારોને મૂળ રોકાણ પર દર વર્ષે મળતું 2.5% નું નિશ્ચિત વાર્ષિક વ્યાજ સંપૂર્ણપણે અલગ છે, જે સીધું રોકાણકારના બેંક ખાતામાં જમા થતું રહ્યું છે. આમ, આ સ્કીમે બેવડો ફાયદો કરાવ્યો છે.
આ સ્કીમ લેતા પહેલાં ગ્રાહકે જ્વેલરની વિશ્વસનીયતા તપાસવી ખૂબ જરૂરી છે. ઉપરાંત સ્કીમ પૂરી થાય ત્યારે સોનાનો ભાવ કયો ગણાશે (શરૂઆતનો કે અંતનો) તેની શરતો ખાસ વાંચી લેવી જોઈએ.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ચોક્કસ નિયમો મુજબ, સમય પહેલા બોન્ડ વટાવવાની કિંમત મનસ્વી રીતે નક્કી નથી થતી. આ માટે 'ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ' (IBJA) દ્વારા જાહેર કરવામાં આવતા 999 શુદ્ધતા (24 કેરેટ) વાળા સોનાના છેલ્લા ત્રણ કારોબારી દિવસોના ક્લોઝિંગ પ્રાઇસની સરળ સરેરાશ (Simple Average) કાઢવામાં આવે છે અને તે મુજબ જ વ્યાજબી દર જાહેર કરાય છે.
નિયમ અનુસાર સોવરેન ગોલ્ડ બોન્ડની કુલ મેચ્યોરિટી અવધિ 8 વર્ષની હોય છે. જોકે, આરબીઆઈ રોકાણકારોને ફ્લેક્સિબિલિટી આપતા ઇશ્યૂ તારીખથી 5 વર્ષ પૂરા થયા બાદ વ્યાજ ચૂકવણીની તારીખે તેને સમય પહેલાં ભુલાવવાની (Pre-mature Redemption) પરવાનગી આપે છે. આ સીરીઝે પોતાના સફળતાપૂર્વક 5 વર્ષ પૂરા કરી લીધા હોવાથી હવે રોકાણકારો માટે આ વિકલ્પ ખુલ્લો મુકાયો છે.
જો તમે 8 વર્ષ પૂરા થતાં પહેલાં આ બોન્ડને વટાવવાનું વિચારી રહ્યા હોવ, તો ટેક્સના સુધારેલા નિયમો ખાસ ધ્યાનમાં રાખવા જરૂરી છે. નવા ટેક્સ નીતિ મુજબ, જો રોકાણકાર 5 વર્ષ પછી સમય પહેલાં પ્રોફિટ બુક કરીને બોન્ડ રિડીમ કરે છે, તો તેને સોનાના ભાવ વધારા પર થતા નફા પર કેપિટલ ગેઇન્સ ટેક્સ (Capital Gains Tax) ચૂકવવો પડશે.
આરબીઆઈના સ્પષ્ટ નિયમ મુજબ, કેપિટલ ગેઇન્સ ટેક્સમાંથી 100% મુક્તિ માત્ર એવા જ ઓરિજિનલ સબસ્ક્રાઇબર્સને મળે છે જેઓ પૂરા 8 વર્ષની મેચ્યોરિટી સુધી બોન્ડ હોલ્ડ કરી રાખે છે. આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિએ સેકન્ડરી માર્કેટ (સ્ટોક એક્સચેન્જ) માંથી આ બોન્ડ ખરીદ્યા હશે, તો તેમને 8 વર્ષ સુધી રોકાણ જાળવી રાખવા છતાં ટેક્સ ફ્રી રિડેમ્પ્શનનો લાભ મળતો નથી.
44,000 કિલો ‘સોનું’ વેચાઈ ગયું… આસમાને પહોંચેલી કિંમતો વચ્ચે ભારતના મિત્ર દેશે રમી ‘મોટી રમત’, હવે આગળ શું થશે?વોટ્સએપ સૌથી પોપ્યુલર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. એપમાં યુઝર્સનો અનુભવ બહેતર બનાવવા અને સેફ્ટી જાળવવા માટે ઘણા કામના ફીચર્સ આપવામાં આવ્યા છે. ઘણી વાર લોકો એ વાતથી પરેશાન જોવા મળે છે કે એપ પર વારંવાર અજાણ્યા નંબરોથી કોલ આવે છે. પરંતુ યુઝર્સને આ સમસ્યામાંથી બચાવવા માટે પણ એપમાં એક કમાલનું ફીચર મળે છે. આ ફીચરને બસ એક વાર ઓન કરી લેવાથી તે અજાણ્યા નંબરથી આવતા દરેક કોલને પોતાની મેળે સાયલન્ટ કરી દે છે, જેથી તમને અજાણ્યા નંબરના કોલથી કોઈ ખલેલ પહોંચતી નથી.
મોટાભાગના કિસ્સાઓમાં અજાણ્યા નંબરથી આવતા કોલ સ્કેમર્સ કે ઠગ લોકોના હોઈ શકે છે. આવી સ્થિતિમાં આ ફીચર ખૂબ જ કામનું છે. કોલ સાયલન્ટ થઈ ગયા પછી પણ જો તમારે જોવું હોય કે કોનો કોલ આવ્યો હતો, તો કોલ મિસ થયા બાદ તમને એપના 'Calls' ટેબમાં એ નંબર જરૂર દેખાશે.
Silence Unknown Callers ફીચર કેવી રીતે ઓન કરવું? જો તમારી પાસે એન્ડ્રોઇડ (Android) કે આઇઓએસ (iOS) ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતો ફોન હોય, તો તમે આ ફીચર ખૂબ જ આસાનીથી ઓન કરી શકો છો. આ માટેની સ્ટેપ-બાય-સ્ટેપ રીત આ મુજબ છે: સૌપ્રથમ તમારા ફોનમાં વોટ્સએપ એપ ઓપન કરો.
ઉપર જમણી બાજુ આપેલા થ્રી-ડોટ (Three Dots) મેનૂ પર ક્લિક કરો. ત્યારબાદ Settings ઓપ્શન પર ક્લિક કરો. હવે વોટ્સએપ સેટિંગ્સમાં આપેલા Privacy સેક્શનમાં જાઓ. પ્રાઇવસી સેક્શનમાં થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે તમને Calls સેક્શન દેખાશે. કોલ્સ સેક્શનમાં Silence Unknown Callers ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરીને આ ફીચર ઓન કરી દો.
એક વાર આ ફીચર ઓન થઈ ગયા પછી તે બેકગ્રાઉન્ડમાં એક્ટિવ રહીને તમને દરેક સ્પેમ અને સ્કેમ કોલથી બચાવવામાં મદદ કરશે. કારણ કે અજાણ્યો કોલ ઉપાડ્યા પછી જ સ્કેમર્સ પૈસા લૂંટવાનો ખેલ શરૂ કરતા હોય છે. જો કોલ સાયલન્ટ રહેશે અને ઉપાડાશે નહીં તો તમે ફ્રોડથી બચી શકશો, તેથી આ ફીચર ઓન રાખવું જ સમજદારી છે.
Cellular vs Wi-Fi Calling: કયા મોડમાં કૉલ કરવાથી ફોનની બેટરી ઝડપથી ઉતરી જાય છે ? જાણી લો અસલી સત્યઆપણા શરીર માટે ખોરાકની સાથે સાથે પાણી પણ ખૂબ જ જરૂરી હોય છે. તે શરીરને હાઇડ્રેટ રાખવા અને તાપમાન નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. બાળકોથી લઈને કેટલાક મોટા લોકોમાં પણ એવી ટેવ હોય છે કે, તેઓ જમવાની સાથે સાથે પાણી પણ પીવે છે.
દરેક વ્યક્તિ કોળિયાની સાથે પાણી તો જરૂર પીવે જ છે પરંતુ શું આ યોગ્ય છે? અવારનવાર લોકોના મનમાં એ સવાલ રહે છે કે, શું જમતી વખતે પાણી પીવું યોગ્ય છે કે નહીં? જો તમે પણ આવું જ કરો છો, તો આવું કરતાં પહેલાં તમારે કેટલીક જરૂરી વાતો જાણી લેવી જોઈએ.
જો તમે જમવાની સાથે સાથે પાણી પીઓ છો, તો તમારા શરીર પર તેની ખરાબ અસર પડે છે. જો પહેલાથી જ પાચન સંબંધિત સમસ્યા હોય, તો ભોજન દરમિયાન વધુ પડતું પાણી પીવાથી તમારે હંમેશાં બચવું જોઈએ. 'પાણી' પીવાથી ગેસ, બ્લોટિંગ (પેટ ફૂલવું) કે અપચાની ફરિયાદ ખૂબ વધી શકે છે.
જમવાની સાથે સાથે વધુ માત્રામાં પાણી પીવાથી એસિડિટીની સમસ્યા પણ ખૂબ વધી જાય છે. વધારે પાણી પીવાથી એસિડ રિફ્લક્સ કે છાતીમાં બળતરા જેવી સમસ્યા પણ ઘણા અંશે વધી શકે છે. જો તમને પણ જમવાની સાથે સાથે પાણી પીવાની ટેવ હોય, તો પાચન બગડવા જેવી સમસ્યાઓ તમને થઈ શકે છે. પાચન પ્રક્રિયા પ્રભાવિત થતી અનુભવાઈ શકે છે અને તમારું પેટ ફૂલેલું લાગી શકે છે.
આ સિવાય જો તમે જમવાની સાથે જરૂર કરતાં વધુ પાણીનું સેવન કરી લો છો, તો ભૂખ શાંત થતી નથી, જેના કારણે વારંવાર ખાવાની ઈચ્છા તીવ્ર થવા લાગે છે. તમારે આવી ટેવ બિલકુલ ન અપનાવવી જોઈએ. જો તમે (જમતી વખતે) પાણી પીવાની આ ટેવ રાખો છો, તો તમારું પેટ ભારે અનુભવાવાનું શરૂ થઈ જાય છે, તેથી તમારે આવી ભૂલ કરવાથી બચવું જોઈએ.
(ડિસ્ક્લેમર: આ સમાચાર તમને માત્ર જાગરૂક કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. TV9 Gujarati આની પુષ્ટિ કરતું નથી. અમે આ લખવામાં સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમને કોઈ બીમારી હોય કે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય, તો કંઈપણ અપનાવતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ જરૂર લેવી. દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય અલગ હોય છે, તેથી તેની અસર પણ અલગ હોઈ શકે છે.) ચોમાસામાં નાના બાળકોની સંભાળ કેવી રીતે રાખવી ? બાળરોગ નિષ્ણાતો પાસેથી જાણી લો આ જરૂરી વાતોગુજરાતનો ડાંગ જિલ્લો તેના કુદરતી સૌદર્ય માટે જાણીતો છે. કુદરતે અહીં વીણી વીણીને સૌદર્ય વેર્યુ છે. અહીં પહાડો પરથી વહેતા ઝરણાનો અદ્દભૂત નજારો માણવા મળે છે તો વરસાદી સીઝનમાં ચારેબાજુ હરિયાળી છવાઈ જતા વાતાવરણ એકદમ મનમોહક બની જાય છે. પ્રકૃતિએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા દૃશ્યો માણવા હોય તો પ્રકૃતિપ્રેમીઓએ ડાંગ જવુ જ પડે.
પ્રવાસીઓના આકર્ષણ સમો શંકર ધોધ સક્રિયહાલ ડાંગમાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલ જામતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ચારે તરફ મનને રોમાંચ અને આનંદથી ભરી દેતા દૃશ્યો માણવા મળે છે. આહવા અને સાપુતારા મુખ્ય માર્ગ પર પ્રવાસીઓના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર એવો શંકર ધોધ સક્રિય થયો છે. બીજી તરફ સારો વરસાદ થતા તળાવો, નદીઓ અને જળાશયો પણ છલોછલ જોવા મળી રહ્યા છે. એક તરફ ખળ-ખળ નદીઓ વહી રહી છે. પહાડો પરથી ઝરણાઓ વહી રહ્યા છે અને ધોધનું અલૌકિક સૌદર્ય ખીલ્યુ છે અને ચારે બાજુ હરિયાળી છવાઈ જતા ખરા અર્થમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.
વિકેન્ડમાં પ્રવાસીઓનો વધ્યો ધસારોઆ તરફ વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે. ચેકડેમ ઓવરફ્લો થયા છે અને ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છે. વરસાદી માહોલથી સ્થાનિકો અને પ્રવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. અહીં વિકેન્ડમાં પ્રવાસીઓનો ધસારો વધતા ટ્રાફિકજામના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા ન હોવાને કારણે કુદરતી સૌદર્ય માણવા આવેલા લોકોનો પાર્કિંગ શોધવામાં સમય વ્યય થયો હતો. ત્યારે પ્રવાસીઓની પણ માગ ઉઠી છે કે પર્યટકો માટે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.
Input Credit- Ronak Jani- Dang
ભારતનું એક એવુ અમીર મંદિર જેની સંપત્તિ દુનિયાના 100 દેશોની GDP થી પણ વધુ છે? વાંચો ક્યુ છે આ મંદિર?
ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમવા માટે આવતા મહિને પ્રવાસે જશે. આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 15 ઓગસ્ટથી ગાલેમાં શરૂ થશે, જ્યારે બીજી ટેસ્ટ બાદમાં રમાશે. પ્રથમ ટેસ્ટની તારીખ ભારતીય ક્રિકેટ માટે ખાસ છે, કારણ કે સ્વતંત્રતા દિવસના રોજ ટેસ્ટ મેચ શરૂ થવાનો આ માત્ર બીજો પ્રસંગ બનશે.
ભારતની ટેસ્ટ મેચ 15 ઓગસ્ટે શરૂ થશેઆ પહેલા માત્ર એક જ વખત ભારતની ટેસ્ટ મેચ 15 ઓગસ્ટે શરૂ થઈ હતી. વર્ષ 2014માં ઈંગ્લેન્ડ સામે ઓવલ ખાતે રમાયેલી ટેસ્ટ 15 ઓગસ્ટના રોજ શરૂ થઈ હતી. તે સમયે મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઈન્ડિયાના કેપ્ટન હતા. હવે 12 વર્ષ બાદ ફરી એકવાર ભારતીય ટીમ સ્વતંત્રતા દિવસના રોજ ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતરશે.
2014ની ટેસ્ટમાં ભારતની થઈ હતી હારજોકે, 2014ની તે ટેસ્ટ ભારત માટે યાદગાર રહી નહોતી. પ્રથમ ઇનિંગ્સમાં ભારત માત્ર 148 રનમાં સમેટાઈ ગયું હતું. જવાબમાં ઈંગ્લેન્ડે 486 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. બીજી ઇનિંગમાં પણ ભારતીય બેટિંગ નિષ્ફળ રહી હતી અને ટીમ માત્ર 94 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે ભારતને એક ઇનિંગ અને 244 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
TEAM INDIA TO LEAVE EARLY FOR SRI LANKA.
Team India are likely to depart for Sri Lanka on August 4 ahead of the Test series. (Sahil Malhotra)#TeamIndia #ShubmanGill #INDvSL #WTC #TestCricket pic.twitter.com/La7Nsg56wD
— Clutch Sports (@Clutchsportsz) July 21, 2026
ગાલેમાં જીત મેળવવા ટીમ ઈન્ડિયા તૈયાર
આ વખતે ભારતીય ટીમ તે ખરાબ યાદોને પાછળ છોડીને નવી શરૂઆત કરવા ઉતરશે. ગાલેની સ્પિનને અનુકૂળ પિચ પર ભારતીય બેટ્સમેન અને સ્પિનરોની કસોટી થશે. બંને ટીમો માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી પણ આ શ્રેણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ભારતની નજર ઈતિહાસ બદલવા પરટેસ્ટ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયા ચાર દિવસની વોર્મ-અપ મેચ રમશે. આ પ્રેક્ટિસ મેચ 7 ઓગસ્ટથી કોલંબોમાં યોજાશે, જેથી ખેલાડીઓને સ્થાનિક પરિસ્થિતિઓમાં રમવાનો અનુભવ મળી શકે. ત્યારબાદ ટીમ ગાલે જશે, જ્યાં 15 ઓગસ્ટે પ્રથમ ટેસ્ટ સાથે શ્રેણીની શરૂઆત થશે. ભારતની નજર આ વખતે ઈતિહાસ બદલવા અને જીત સાથે અભિયાન શરૂ કરવા પર રહેશે.
ઈંગ્લેન્ડ સામે ODI શ્રેણીમાં હાર બાદ આ 3 ખેલાડીઓની ટીમ ઈન્ડિયામાંથી થશે છૂટ્ટી!સુરત શહેર અને જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેના કારણે છેલ્લા 12 કલાકમાં શહેરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ શહેરમાં સિઝનનો કુલ વરસાદ 39 ઈંચ અને જિલ્લામાં કુલ 33 ઈંચ પર પહોંચી ગયો છે.
સમગ્ર જિલ્લામાં સૌથી વધુ વરસાદ પલસાણામાં 5.23 ઈંચ નોંધાયો છે. ભારે વરસાદના પગલે સુરત જિલ્લામાં પંચાયત હસ્તકના 11 રસ્તાઓ બંધ થઈ ગયા છે, જ્યારે વરાછાની ખાડી અને કોઝવે ભયજનક સપાટીની ઉપર વહી રહ્યા હોવાથી તંત્ર દ્વારા જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે.
જિલ્લામાં અવિરત વરસાદના કારણે અરેઠના મુજલાવ-બોધનથી પસાર થતી ખાડીમાં ઘોડાપૂર આવ્યું છે અને કોઝ-વે પર પાણી ફરી વળતાં રસ્તો બંધ થઈ ગયો છે, જેથી માંડવી, અરેઠ અને બારડોલીના લોકોને 20 કિલોમીટરનો લાંબો ફેરો કરવા મજબૂર બનવું પડ્યું છે.
ઘરો અને કોમ્પ્લેક્ષમાં ઘૂસી ગયા ‘પાણી’બીજી તરફ, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે શહેરમાંથી પસાર થતી ખાડીઓના લેવલમાં પણ વધારો થયો છે. ભેદવાડ (ભેળવાળ) ખાડી ઓવરફ્લો થતાં તેના પાણી ખેતરો, ઘરો અને કોમ્પ્લેક્ષમાં ઘૂસી ગયા છે, જેથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
સુરતમાં આકાશી આફતના ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા છે. સચિન વિસ્તારમાં ગરનાળામાં કેડસમા પાણી ભરાતાં અને આસપાસની સોસાયટીઓમાં પાણી ઘૂસતાં લોકોની ચિંતા વધી છે. આ ઉપરાંત પાંડેસરામાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળતાં રોડ બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, જેથી પાલિકાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બમરોલી ગામ તરફ જવાનો રોડ પણ પાણીમાં ડૂબી ગયો છે છતાં રોડ ખુલ્લો રખાતાં પાલિકાની બેદરકારી સામે આવી છે. ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થતાં સુરત મહાનગરપાલિકાના પ્રિ-મોન્સૂનના દાવાઓ ફરી એકવાર પાણીમાં ગયા છે.
Breaking News: અંબાલાલ પટેલની મોટી આગાહી… આ જિલ્લાઓ થશે ‘પાણી-પાણી’, નદીઓમાં પૂરની શક્યતાઅમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં દીપડો દેખાયાનો દાવો કરતી એક તસવીર સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે. જોકે, વન વિભાગે અત્યાર સુધી આ વિસ્તારમાં દીપડો હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. વાયરલ તસવીર બાદ વન વિભાગે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા એક કેફેના સંચાલકે એવો દાવો કર્યો છે કે, ગત રાત્રે અંદાજે 2 વાગ્યાની આસપાસ તેમને કારમાં જતાં સમયે દીપડો દેખાયો હતો. તેમણે કારમાંથી જ તેનો ફોટોગ્રાફ લીધો હોવાનું જણાવ્યું છે. આ અંગે તેમણે તરત જ વન વિભાગને પણ જાણ કરી હતી.
તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં, ચાંદખેડા અને તેની આજુબાજુ રહેતા સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે, વન વિભાગનું કહેવું છે કે માત્ર વાયરલ ફોટાના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાય નહીં અને સ્થળ પર તપાસ કર્યા બાદ જ સત્તાવાર રીતે કંઈ કહી શકાય.
આ સમગ્ર મામલે આરએફઓ (RFO) સાણંદ હરેશ દેસાઈએ જણાવ્યું હતું કે, વન વિભાગની ટીમ ગઈકાલથી સતત જુદા જુદા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. દીપડો છુપાઈ શકે તેવી સંભવિત જગ્યાઓ તેમજ દીપડાને અનુકૂળ આવે તેવા વિસ્તારોમાં તપાસ કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી ક્યાંય પણ દીપડો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.
વન વિભાગે વધુમાં જણાવ્યું કે ચાર અલગ-અલગ સ્થળોએ ટીમોને તૈનાત કરવામાં આવી છે અને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી દીપડો હોવાની પુષ્ટિ નહીં થાય અથવા તેની હાજરી નકારી શકાય નહીં, ત્યાં સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહેશે.
તાજેતરમાં ઘુમા વિસ્તારમાં પણ દીપડો દેખાયાની ઘટના સામે આવી હતી. જોકે, ચાંદખેડામાં દેખાયો હોવાનો દાવો કરાયેલો દીપડો અને ઘુમામાં જોવા મળેલો દીપડો એક જ છે કે નહીં, તે અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. બંને વિસ્તારો વચ્ચે 20 કિલોમીટરથી વધુનું અંતર હોવાથી આ અંગે પણ વન વિભાગે કોઈ નિષ્કર્ષ જાહેર કર્યો નથી.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ઝુંડાલ અને આસપાસનો વિસ્તાર સંપૂર્ણપણે શહેરી વિસ્તાર હોવાથી દીપડો ત્યાં સુધી પહોંચ્યો હોવાની શક્યતા ખૂબ ઓછી છે. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે તપાસ ચાલુ રાખવામાં આવી રહી છે.
Breaking News : દીપડાનો પત્તો ન લાગતા વન વિભાગે સર્ચ ઓપરેશનનું સ્થળ બદલ્યું, જુઓ Videoજ્યારે ડ્રાઇવિંગ કરતી વખતે ડેશબોર્ડ પર પીળો કે લાલ ફ્યુઅલની લાઈટ ચાલુ થાય છે, ત્યારે તે અનિવાર્યપણે ચિંતાનો ક્ષણ પેદા કરે છે. તરત જ મનમાં એક પ્રશ્ન આવે છે કે: હવે તમારું વાહન કેટલું આગળ જઈ શકે છે? જ્યારે મોટરસાયકલ સવારો તેમની બાઇક અચાનક ઝટકો આપીને રિઝર્વ મોડ પર સ્વિચ કરે છે ત્યારે સમાન તણાવ અનુભવીએ છે. ત્યારે ચાલો જાણીએ
કારમાં લો ફ્યુઅલ વોર્નિંગ લાઇટ ડ્રાઇવરને ચેતવણી આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે બાઇકના રિઝર્વ મોડની જેમ છે. તેનો પ્રાથમિક હેતુ એ દર્શાવવાનો છે કે ટાંકીમાં મર્યાદિત માત્રામાં ઇંધણ રહે છે અને તેને ટૂંક સમયમાં ફરીથી ભરવું જોઈએ.
કારમાં લો ફ્યુઅલ વોર્નિંગ લાઈટ બાદ કેટલુ ફ્યુઅલ બાકી રહે છે? : મોટાભાગની કારમાં, જ્યારે ટાંકીમાં લગભગ 10 થી 15 ટકા ઇંધણ રહે છે ત્યારે ઓછી ઇંધણ ચેતવણી લાઇટ સક્રિય થાય છે. આ જથ્થો કાર મોડેલના આધારે થોડો બદલાઈ શકે છે.
લો ફ્યુઅલ વોર્નિંગ દેખાય પછી કાર કેટલી દૂર જઈ શકે છે? : માઇલેજની દ્રષ્ટિએ, ઓછા ઇંધણની ચેતવણી દેખાય તે પછી કાર સામાન્ય રીતે 40 થી 80 કિમી સુધી મુસાફરી કરી શકે છે. જો કે, આ અંતર કાર મોડેલ, ડ્રાઇવિંગ શૈલી, રસ્તાની સ્થિતિ અને ટ્રાફિક જેવા પરિબળો પર આધાર રાખે છે.
બાઇકના લો ફ્યુઅલ વોર્નિંગ પછી કેટલું ઈંધણ બાકી રહે છે? : મોટાભાગની બાઇકમાં અલગ ઓછા ઇંધણની લાઇટને બદલે રિઝર્વ મોડ હોય છે. જ્યારે મુખ્ય ઇંધણ પુરવઠો ઓછો થઈ જાય અને બાઇક ફફડવાનું શરૂ કરે ત્યારે રિઝર્વ મોડનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે, રિઝર્વમાં લગભગ 1 થી 1.5 લિટર પેટ્રોલ બાકી રહે છે.
વોર્નિંગ પછી બાઇક કેટલું દૂર જઈ શકે છે? : રિઝર્વ મોડ પર બાઇક સામાન્ય રીતે આશરે 20 થી 30 કિમી મુસાફરી કરી શકે છે. અહીં પણ, અંતર બાઇકના માઇલેજ અને સવારી શૈલી પર આધાર રાખે છે. કાર સાથે, શ્રેષ્ઠ કાર્યવાહી એ છે કે નજીકના પેટ્રોલ સ્ટેશન પર જાઓ અને ઓછા ઇંધણની ચેતવણી દેખાય કે તરત જ વિલંબ કર્યા વિના રિફ્યુઅલ કરો.
ક્યારે બદલવું જોઈએ તમારી Carનું વાઈપર ? આ 5 સંકેત દેખાય તો તરત બદલી નાખજો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો'રશિયા' વિશ્વના એવા દેશોમાંથી એક છે કે, જેની પાસે સૌથી મોટો ગોલ્ડ રિઝર્વ (સોનાનો ભંડાર) છે. એવામાં રશિયાએ તાજેતરમાં જે કર્યું છે, તે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. રશિયાએ વર્ષ 2026ના પ્રથમ 6 માસિક ગાળામાં લગભગ 44 ટન સોનું વેચી દીધું છે. એવા સમયે 'સોનું' વેચ્યું જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈ પર બનેલા છે. જો કે, રશિયાનું આ પગલું ઘણા પ્રશ્નો ઊભા કરી રહ્યું છે. રોકાણકારો અને બજાર નિષ્ણાતોની નજર હવે એ વાત પર છે કે, આખરે રશિયાએ પોતાના ગોલ્ડ રિઝર્વમાં કાપ શા માટે મૂક્યો અને તેની આગળ શું અસર પડી શકે છે?
સેન્ટ્રલ બેંકના તાજેતરના અહેવાલ મુજબ જૂલાઈની શરૂઆત સુધી તેની પાસે 73.4 મિલિયન ટ્રોય ઓન્સ એટલે કે લગભગ 2,282 મેટ્રિક ટન 'સોનું' બચ્યું છે. વર્ષની શરૂઆતની સરખામણીએ આ લગભગ 1.4 મિલિયન ટ્રોય ઓન્સ એટલે કે આશરે 43.5 ટન ઓછું છે. વર્તમાન ભાવ મુજબ રશિયા પાસે રહેલા ગોલ્ડ રિઝર્વની કુલ કિંમત લગભગ 299 અબજ ડૉલર આંકવામાં આવી છે.
સામાન્ય રીતે કોઈ દેશનો ગોલ્ડ રિઝર્વ તેની આર્થિક મજબૂતી અને વિદેશી મુદ્રા ભંડારનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવે છે. મુશ્કેલ સમયમાં આ જ રિઝર્વ દેશની નાણાકીય સ્થિરતા જાળવી રાખવામાં મદદ કરે છે. એવામાં રશિયા દ્વારા પોતાના ભંડારમાંથી 'સોનું' વેચવું એ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ માનવામાં આવી રહ્યો છે.
જો કે, રશિયા સામે એક મોટો પડકાર પશ્ચિમી દેશો અથવા વેસ્ટર્ન સેન્ક્શન્સ (પશ્ચિમી પ્રતિબંધો) છે. યુક્રેન યુદ્ધ પછી અમેરિકા અને યુરોપીય દેશોએ રશિયા પર અનેક આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. આ જ પ્રતિબંધોના કારણે રશિયાની સેન્ટ્રલ બેંક આંતરરાષ્ટ્રીય બજારમાં સરળતાથી 'સોનું' વેચી શકતી નથી. ટૂંકમાં, તેના માટે વિદેશી ખરીદદારો સુધી પહોંચ હવે પહેલા જેવી રહી નથી.
આમ છતાં સ્થાનિક સ્તરે અથવા અન્ય વૈકલ્પિક માધ્યમોથી રિઝર્વમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. સેન્ટ્રલ બેંકે એ સ્પષ્ટ કર્યું નથી કે, આ 'સોનું' કયા ખરીદદારોને વેચવામાં આવ્યું છે. રશિયાના આ પગલાની અસર હાલ વૈશ્વિક સોનાના ભાવો પર જોવા મળશે નહીં. તેનું કારણ એ છે કે, સોનાના ભાવ આ સમયે અન્ય ઘણા પરિબળોથી પણ પ્રભાવિત થઈ રહ્યા છે. આમાં પશ્ચિમ એશિયામાં વધતો તણાવ, સેન્ટ્રલ બેંકોની ખરીદી, મોંઘવારીની ચિંતા અને યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરો અંગેના નિર્ણયો પર ટકેલી છે.
આવનારા સમયમાં રોકાણકારોની નજર રશિયાની ગોલ્ડ પોલિસી, વૈશ્વિક સેન્ટ્રલ બેંકોની ખરીદી અને આંતરરાષ્ટ્રીય જીઓ-પોલિટિકલ પરિસ્થિતિઓ પર રહેશે. આ જ પરિબળો નક્કી કરશે કે, સોનાના ભાવ નવી ઊંચાઈ પર પહોંચશે કે પછી તેમાં કઈક નરમ વલણ જોવા મળશે.
સોના-ચાંદીમાં હવે ‘મોટો ખેલ’ થશે કે ‘મંદી’ આવશે ? શોર્ટ ટર્મ વાળા ફસાશે કે લોંગ ટર્મ વાળા કમાશે?ઘણા ઘરોમાં પ્રેશર કૂકરનો ઉપયોગ દરરોજ થાય છે. વારંવાર રસોઈ બનાવવાના કારણે કૂકરની સીટીમાં તેલ, મસાલા અને વરાળના કણો ધીમે-ધીમે જમા થવા લાગે છે. શરૂઆતમાં આ ગંદકી સામાન્ય લાગે છે, પરંતુ લાંબા સમય સુધી સફાઈ ન કરવામાં આવે તો સીટીમાંથી પ્રેશર યોગ્ય રીતે બહાર આવવામાં અડચણ સર્જાઈ શકે છે. તેથી માત્ર કૂકર જ નહીં, તેની સીટીની પણ નિયમિત સફાઈ કરવી એટલી જ મહત્વપૂર્ણ છે.
લીંબુ અને મીઠાનો સરળ ઉપાય: જો સીટી પર સામાન્ય ગંદકી અથવા ડાઘ દેખાતા હોય તો લીંબુ અને મીઠાનો ઉપયોગ કરી શકાય છે. લીંબુમાં રહેલા કુદરતી એસિડ ગંદકીને ઢીલી પાડવામાં મદદ કરે છે, જ્યારે મીઠું હળવા સ્ક્રબ તરીકે કામ કરે છે. થોડા સમય સુધી ઘસ્યા બાદ પાણીથી સારી રીતે ધોઈ લો. આ રીત સીટીની ચમક જાળવી રાખવામાં મદદરૂપ બને છે.
બેકિંગ સોડાથી દૂર કરો ચીકાશ: જૂની ચીકાશ દૂર કરવા માટે બેકિંગ સોડો સારો વિકલ્પ છે. ગરમ પાણીમાં થોડું બેકિંગ સોડું ઉમેરી તેમાં સીટીને થોડા મિનિટ માટે રાખો. ત્યારબાદ નરમ બ્રશથી હળવેથી સાફ કરો. આ રીતે સીટીના નાના છિદ્રોમાં ફસાયેલા કણો પણ સરળતાથી બહાર આવી શકે છે.
વિનેગરનો ઉપયોગ પણ ફાયદાકારક: જો સીટી પર કઠણ ડાઘ અથવા મિનરલના થર જમા થઈ ગયા હોય તો વિનેગર મદદરૂપ થઈ શકે છે. સમાન પ્રમાણમાં પાણી અને વિનેગર ભેળવી તેમાં સીટીને થોડી વાર પલાળી રાખો. ત્યારબાદ તેને સાફ પાણીથી ધોઈ સારી રીતે સૂકવી લો. આ ઉપાયથી જામી ગયેલી ગંદકી દૂર કરવામાં સરળતા રહે છે.
રોજિંદી સફાઈ પણ એટલી જ જરૂરી: દરેક ઉપયોગ પછી સીટીને સામાન્ય ગરમ પાણી અને વાસણ ધોવાના લિક્વિડથી ધોઈ લેવાની આદત રાખો. આ નાની ટેવથી ગંદકી જમા થવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે અને વારંવાર ડીપ ક્લિનિંગ કરવાની જરૂર પડતી નથી.
સફાઈ દરમિયાન રાખો આ સાવચેતી;કૂકર સંપૂર્ણપણે ઠંડો થયા પછી જ સીટી કાઢો.સીટીના છિદ્રને સાફ કરવા માટે ધારદાર પિન અથવા વાયરનો ઉપયોગ ટાળો, કારણ કે તે વાલ્વને નુકસાન પહોંચાડી શકે છે. સફાઈ બાદ ખાતરી કરો કે સીટી સંપૂર્ણપણે સુકાઈ ગઈ છે. જો સીટીમાં તિરાડ, વાંકો ભાગ અથવા અન્ય નુકસાન દેખાય તો તેનો ઉપયોગ ચાલુ રાખવાને બદલે નવી સીટી લગાવવી વધુ સુરક્ષિત રહેશે.
પ્રેશર કૂકરની સીટી સ્વચ્છ રાખવાથી પ્રેશર યોગ્ય રીતે બહાર નીકળે છે, રસોઈ વધુ સરળ બને છે અને કૂકરની કાર્યક્ષમતા લાંબા સમય સુધી જળવાઈ રહે છે. સાથે જ અનિચ્છનીય અવરોધ અથવા તકનીકી સમસ્યાઓની શક્યતા પણ ઘટે છે. રસોડાની નાની જાળવણીની આ ટેવ તમારા કૂકરને વધુ સુરક્ષિત, સ્વચ્છ અને લાંબા સમય સુધી ઉપયોગી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. (All Image Credit Source: Social Media)
આ પણ વાંચો: દક્ષિણ ભારતમાં કેળાના પાન પર જમવાની પરંપરા પાછળ છુપાયેલું છે હજારો વર્ષ જૂનું રહસ્યઘણા લોકો ગરમી અને ભેજવાળા વાતાવરણને કારણે બફારાથી બચવા માટે ACનો ઉપયોગ કરે છે. જો કે, ચોમાસામાં પણ ACનો ઉપયોગનો ઉપયોગ કરવાથી, વધુ વીજ બિલ આવવાથી વપરાશકર્તાના ખિસ્સા ઉપર ભાર પડતો હોય છે.
ઘણા લોકોનું માનવું છે કે ACનો ઉપયોગ કરતી વખતે થોડુ ઘણુ વીજ બિલ ઊચુ આવવું એ અનિવાર્ય છે. પરંતુ જો આવા સંજોગોમાં ACમાં યોગ્ય સેટિંગ્સ અને કેટલીક સરળ યુક્તિઓનો ઉપયોગ કરીને, તમે અસરકારક રીતે તમારા વીજળી બિલને ઘટાડી શકો છો.
વરસાદ અને વાતાવરણમાં વધુ ભેજ હોય તેવા દિવસોમાં, તમારા ઘર અને રૂમમાં રહેલી હવામાં ભેજનું સ્તર સામાન્ય દિવસો કરતા વધુ હોય છે. આવા હવામાનમાં, 'કૂલ મોડ' ને બદલે, તમારા AC ને 'ડ્રાય મોડ' પર ચલાવો. આ મોડ ઓરડાને ઠંડુ કરવાની સાથેસાથે હવામાં રહેલો વધારાનો ભેજ શોષી લે છે. આ ડ્રાય મોડ આ કોમ્પ્રેસર પરનો ભાર ઘટાડે છે અને વીજળીની નોંધપાત્ર બચત તરફ દોરી જાય છે.
ઘણા લોકો રૂમને ઝડપથી ઠંડુ કરવા માટે તેમના AC ને 16°C અથવા 18°C પર સેટ કરે છે. આનાથી ACનુ કોમ્પ્રેસર સતત તેની પૂર્ણ ક્ષમતાએ ચાલે છે, જેથી AC વધુ પડતી વીજળીનો વપરાશ કરે છે. ઉર્જા કાર્યક્ષમતા બ્યુરો અનુસાર, 24°C થી 26°C ની તાપમાન શ્રેણી માનવ શરીર માટે સૌથી આરામદાયક અને આદર્શ ગણાવાઈ છે. ACના તાપમાન સેટિંગમાં માત્ર એક ડિગ્રી વધારો કરવાથી તમે વીજળી પર 6% સુધી બચત કરી શકો છો.
જ્યારે તમે રૂમમાં AC ચાલુ કરો છો, ત્યારે સીલિંગ ફેનને પણ ઓછી અથવા મધ્યમ ગતિએ ચલાવવાનું ભૂલશો નહીં. પંખો ચલાવવાથી AC માંથી ઠંડી હવા ઝડપથી અને સમાન રીતે આખા રૂમમાં ફરે છે. આમ કરવાથી રૂમ ઝડપથી ઠંડો થાય છે અને AC ની ઓટો-કટ સુવિધાથી કોમ્પ્રેસર સમયસર બંધ થાય છે. જેનાથી તમારું વીજળી બિલ ઘટે છે.
AC ના એર ફિલ્ટરમાં ધૂળ જમા થવાથી હવાના પ્રવાહમાં અવરોધ આવે છે, જેના કારણે ACના આઉટડોર મશીનને રૂમને ઠંડુ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. તેથી, ફિલ્ટરમાં રહેલ ઘૂળ દૂર કરો અને દર 15 દિવસે તેને પાણીથી જાતે સાફ કરો. વધુમાં, રાત્રે સૂતી વખતે, 'સ્લીપ મોડ' સક્રિય કરવાનું રાખો તો વધુ સારુ. જો 'સ્લીપ મોડ' ના રાખવું હોય તો 2-3 કલાક માટે 'ટાઈમર' સેટ કરવાનું રાખો જેથી રૂમ ઠંડુ થયા પછી AC આપઆપ બંધ થઈ જાય.
1kW, 3kW અને 5kW સોલાર પર AC ચલાવવું પડી શકે છે ભારે જો તમે બેટરી વાળો સોલાર સિસ્ટમ લગાવ્યો હશે તો…
ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની પૂરેપૂરી શક્યતા છે.
વધુમાં, તારીખ 24 થી 26 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે પંચમહાલ સહિત પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આ સિસ્ટમના લીધે ગોધરા, લુણાવાડા અને દાહોદ જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ અંગે મહત્વની આગાહી કરી છે, જે મુજબ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદના એંધાણ છે, જ્યારે કચ્છ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા સેવાઈ રહી છે.
બીજી તરફ, ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી તથા બનાસકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 30 જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે વધુ એક સિસ્ટમ સક્રિય થવાને લીધે વરસાદની શક્યતા રહેશે. આ નવી સિસ્ટમ ક્ષેત્રે મધ્યપ્રદેશના ભાગોમાં સારો વરસાદ થતાં, નર્મદા સહિત સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, સુરત જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. ખાસ વાત એ છે કે, અરેઠના મુજલાવ-બોધનથી પસાર થતી ખાડીમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે.
આ સાથે જ વાવ્યા ખાડી પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. મુખ્ય મથક સુધી પહોંચવા માંડવી, અરેઠ, બારડોલી તાલુકાના લોકોએ 15 થી 20 કિમી ફેરાવો ફરવો પડશે.
Breaking News : અમદાવાદમાં મેકડોનાલ્ડમાં ઓર્ડર કરતા ગ્રાહકને વેજને બદલે નોનવેજ બર્ગર મળ્યુ, ગંદકીના લીધે કરાયુ સીલ, જુઓ Videoઆજકલ શહેરોથી લઈને ગામ સુધી દરેક ઘરોમાં RO મશીન લગાવેલા જોવા મળી જ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે જે ROનુ પાણી તમે સ્વચ્છ અને શુદ્ધ સમજીને પી રહ્યા છો એ વાસ્તવમાં શુદ્ધ છે ખરુ? ક્યાંક એ તમારુ સ્વાસ્થ્ય બગાડી તો નથી રહ્યુને? આપણને હંમેશા એ સવાલ રહે છે કે RO ના પાણીનું TDS કેટલુ હોવુ જોઈએ? આવો જાણીએ.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અને હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર પીવાના પાણીનું TDS લેવલ (Total Dissolved Solids) 50 થી 150 ની વચ્ચે હોવુ જોઈએ.
આ લેવલને સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ગણાવાયુ છે. જો તમારુ RO પાણીના TDS ને 50 થી ઓછુ કરી દે છે તો સમજી લો કે તમારા પાણીમાંથી જરૂરી મિનરલ્સ ગાયબ થઈ ચુક્યા છે. આવુ પાણી એકદમ પીવા માટે સાવ નકામુ છે.
આવુ પાણી પીવાથી હાડકા નબળા પડી શકે છે. વાળ ખરવાનું શરૂ થઈ જાય છે અને તમને આખો દિવસ થાક અનુભવાય છે.
TDS શું છે?: TDS એ Total Dissolved Solids છે. સરળ શબ્દોમાં સમજીએ તો પાણીમાં રહેલા મિનરલ્સ છે. જેમા કેલ્શિયમ, મેગ્નેશિયમ અને નમકની માત્રા છે. આ મિનરલ્સ આપણા શરીરના સ્વાસ્થ્ય અને હાડકાઓની મજબુતી માટે ઘણા જરૂરી છે.
જો TDS 300 થી વધુ છે તો પાણીનો સ્વાદ થોડો ભારે અને ખારો લાગશે. આથી જ્યારે પણ સર્વિસ માટે ટેકનિશ્યન આવે તો તેને બોલીને RO ના પાણીનું TDS 70 થી 150 વચ્ચે સેટ કરાવો. જો તમે ઈચ્છો તો ઓનલાઈન મળતુ TDS મીટર ખરીદીને જાતે પણ પાણીનું TDS ચેક કરી શકો છો.
જો TDS 300 થી વધુ છે તો પાણીનો સ્વાદ થોડો ભારે અને ખારો લાગશે. આથી જ્યારે પણ સર્વિસ માટે ટેકનિશ્યન આવે તો તેને બોલીને RO ના પાણીનું TDS 70 થી 150 વચ્ચે સેટ કરાવો. જો તમે ઈચ્છો તો ઓનલાઈન મળતુ TDS મીટર ખરીદીને જાતે પણ પાણીનું TDS ચેક કરી શકો છો.
મશીનની બહાર જે સફેદ રંગની બોટલ લટકેલી હોય છે, તેને દર 3 થી 4 મહિનામાં બદલવી જોઈએ. કારણ કે પાણીનો કચરો, માટી સહિતની બારીક ગંદકી ત્યાં જ જમા થાય છે.
મશીનની અંદર લાગેલા ફિલ્ટર્સને દર 6 થી 8 મહિનામાં ચેંજ કરવા જરૂરી છે. RO મેમ્બ્રેન જે RO નો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો છે. તેને તમે 1 થી 2 વર્ષની વચ્ચે બદલાવી શકો છો.
કેવી રીતે નક્કી કરવુ કે સર્વિસનો ટાઈમ થઈ ગયો?:જો ROની પાણી ભરવાની સ્પીડ ઓછી થઈ ગઈ હોય,પાણીનો સ્વાદ થોડો કડવો કે અજીબ લાગે અથવા મશીનમાંથી ખટ-ખટ અવાજ આવવા લાગે તો સમજી જાઓ કે તમારા ROને ટેકનિશ્યનની જરૂર છે.
ભારતનું એક એવુ અમીર મંદિર જેની સંપત્તિ દુનિયાના 100 દેશોની GDP થી પણ વધુ છે? વાંચો ક્યુ છે આ મંદિર?મેગાસ્ટાર અમિતાભ બચ્ચને સર્જરી માટે હોસ્પિટલની મુલાકાત અંગે બ્લોગ પોસ્ટ શેર કર્યા પછી તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. પોસ્ટમાં, બોલિવૂડ સ્ટારે સર્જરી કરાવવા અને ICU માં સમય વિતાવવાનો, તેમજ આવા અનુભવોથી વ્યક્તિ પર પડતા માનસિક અને શારીરિક નુકસાનનો ઉલ્લેખ કર્યો છે. આ પોસ્ટ વાંચીને ચાહકો ‘બિગ બી’ ના સ્વાસ્થ્ય વિશે ચિંતિત થઈ ગયા છે.
અમિતાભ બચ્ચનની તબિયત લથડી?83 વર્ષીય અભિનેતાએ તેમના અંગત બ્લોગ પર એક ભાવનાત્મક નોંધ લખી: “હોસ્પિટલમાં સર્જરી અને સક્ષમ ડોકટરો અને તબીબી સ્ટાફની દેખરેખ હેઠળ ICU માં સમય, ત્યારબાદ રજા અને ઘરે પાછા ફરવું આ ઘરે પાછા ફરવાનો સૌથી મુશ્કેલ તબક્કો છે. શારીરિક, માનસિક અને વર્તણૂકીય રીતે… એક દિવસ તમે એક પ્રખ્યાત ચેમ્પિયન છો, અને બીજા દિવસે, હાર તમારા ચહેરા પર દેખાય છે. તે તમારા જીવનનો સૌથી મુશ્કેલ સમય છે.”
તેમણે આગળ પોતાના વિચારો શેર કરતા લખ્યું, “કેટલાક હિંમત બતાવે છે, જ્યારે કેટલાક હાર માની લે છે. જે લોકો બહાદુર રહે છે અને પ્રયાસ કરે છે તેઓ હંમેશા ચેમ્પિયન રહે છે; જે લોકો સમાધાન નથી કરતા અને ભૂતકાળના ગૌરવ પર જીવે છે. દરેક વ્યક્તિ પોતાના માટે આ પસંદગી કરે છે. કોઈ પણ રસ્તો ખોટો નથી. ખુશ રહો અને સ્વસ્થ રહો.”
અમિતાભ બચ્ચનનું ટ્વિટથોડા સમય પછી, બચ્ચને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક રહસ્યમય ટ્વીટ પણ શેર કર્યું છે : “T 5806 – બધુ જ પૂરુ થઈ ગયુ ! પરંતુ કામ ચાલુ રહે છે.” આ પોસ્ટથી ચાહકોમાં ચિંતા ફેલાઈ ગઈ, જેમણે તેમના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ સાથે ટિપ્પણી વિભાગ ભરાઈ ગયો. એક ચાહકે લખ્યું, “જલ્દી સ્વસ્થ થાઓ, અમિત જી.” બીજાએ કહ્યું, “તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, સાહેબ… તમારા માટે પ્રાર્થના કરી રહ્યા છીએ.” બીજાએ લખ્યું, “તમે અમારી પ્રાર્થનામાં છો.”
T 5806 – खेल समाप्त हो गया ! पर काम चल रहा है
— Amitabh Bachchan (@SrBachchan) July 20, 2026
અમિતાભ બચ્ચનની હોસ્પિટલ મુલાકાતઅમિતાભ બચ્ચને છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી વખત તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. મે મહિનામાં સમાચાર ફેલાતા હતા કે અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, એક સૂત્રએ મીડિયાને જણાવ્યું હતુ કે ” બચ્ચન શનિવારે નાણાવટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી, પરંતુ તે દર મહિને નિયમિત તપાસ હતી, અને તે પછી તેઓ ઘરે પાછા ફર્યા.”
સૂત્રએ વધુમાં ઉમેર્યું, “આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. તેઓ બિલકુલ ઠીક છે; તેઓ શનિવારે તેમની નિયમિત હોસ્પિટલ મુલાકાત પછી ઘરે પાછા ફર્યા હતા અને બીજા દિવસે ‘જલસા’ થી ‘જનક’ સુધી તેમની કાર ચલાવતા પણ જોવા મળ્યા હતા. તેઓ હાલમાં ઘરે છે.”
અમિતાભ બચ્ચનનો વર્ક ફ્રન્ટઅમિતાભ બચ્ચન ‘કલ્કી 2898 એડી’ ની સિક્વલ માટે શૂટિંગ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવા છતાં, ‘બિગ બી’ વ્યાવસાયિક રીતે સક્રિય રહ્યા છે, ફિલ્મો, ટેલિવિઝન પ્રતિબદ્ધતાઓ અને તેમની સોશિયલ મીડિયા હાજરીને સંતુલિત કરી રહ્યા છે. આ વર્ષે, અભિનેતા ‘કલ્કી 2898 એડી’ ની સિક્વલ માટે શૂટિંગના સેટ પર જોવા મળ્યા હતા.
52 વર્ષની ઐશ્વર્યા રાયનો બદલાયો લુક ! સ્લિમ-ટ્રીમ અને બોસ લેડી બની અભિનેત્રી, જુઓ-PHOTOS, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરોજો તમે પણ ઘરે કોઈ ઓર્ડર મંગાવી રહ્યા છો. અથવા તો બહાર જમવા જઈ રહ્યા છો. તો એક વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. કારણ કે, હાલમાં વેજ ઓર્ડરની સામે નોનવેજ ઓર્ડર આપવાની ઘટનાઓ સતત વધી રહી છે. અમદાવાદ શહેરમાં ફરી એક વખત વેજ બર્ગરને બદલે નોન વેજ બર્ગર આપ્યા હોવાની ઘટના સામે આવી છે.નરોડામાં ગ્રાહકે ઓર્ડરમાં વેજ બર્ગર મંગાવ્યું હતું તેના ઓર્ડરમાં વેજ બર્ગરના બદલે સ્પાઈસી ચિકન બર્ગર આવ્યું હતુ.
આ સમગ્ર ઘટનામાં હંસપુરા મેકડોનલ્ડમાંથી ઓનલાઇન ઓર્ડર કર્યો હતો.જાહેર રોડ પર ન્યુસન્સ અને ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યું છે.
ગ્રાહકને મેકડોનલ્ડમાં કડવો અનુભવ થયો4-5 દિવસ પહેલા વડોદરા શહેરમાં નટુભાઇ સર્કલ સ્થિત બાર્બેક્યુ નેશન રેસ્ટોરન્ટમાં ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ગ્રાહકે વેજ મંગાવ્યું અને રેસ્ટોરન્ટે નોન વેજની ડિલિવરી કરી હતી. તે પહેલા અમદાવાદના બોપલમાં ફૂડ ઓર્ડરમાં ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. બોપલ મેક ડોનાલ્ડમાંથી ગ્રાહકે વેજ બર્ગરનો ઓર્ડર કર્યો હતો. ઓનલાઇન ફૂડ ડિલિવરી એપથી ફૂડ માટે ઓર્ડર કર્યો હતો. ગ્રાહકે મેક ડોનાલ્ડમાં જઇને રજૂઆત કરતા ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યું હતુ.
મેક ડોનાલ્ડ શોપના સંચાલકોએ ભૂલ સ્વીકરવામાં આનાકાની કરી હતી. કીચનમાં પણ વેજ અને નોનવેજ વસ્તુઓ સાથે રાખતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.ત્યારે ફરી એક વખત અમદાવાદ શહેરમાં મેકડોનલ્ડમાં વેજ ઓર્ડર ની સામે નોન વેજ ઓર્ડર મળ્યાની વિગતો સામે આવી હતી.
Ahmedabad Breaking News : મેક ડોનાલ્ડમાંથી ગ્રાહકે ઓર્ડર કર્યો વેજ બર્ગરનો, મળ્યુ નોનવેજ બર્ગર,જુઓ Video અહી ક્લિક કરો
નવસારી શહેર અને જિલ્લામાં સતત ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને મંકોડીયા છાપરા રીંગરોડ પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહારને અસર પહોંચી છે. નવસારીથી છાપરા જતો માર્ગ પણ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વિજલપોરમાં 200થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યાવિજલપોર વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્ક અને રોયલ ગાર્ડન સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં 200થી વધુ ઘરો પ્રભાવિત થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદી મોસમ દરમિયાન આ જ સમસ્યા ઉભી થાય છે, પરંતુ કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી. ઘરોમાં પાણી ઘૂસતાં રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જિલ્લામાં 64 રસ્તા બંધ, ગ્રામ્ય વિસ્તારો વધુ પ્રભાવિતજિલ્લામાં ભારે વરસાદના કારણે કુલ 64 રસ્તાઓ પર અવરજવર બંધ કરવાની ફરજ પડી છે. તેમાં નવસારી ગ્રામ્ય વિસ્તારમાં જ 17 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. અનેક ગામોનો સંપર્ક અસરગ્રસ્ત બનતા તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સ્થળોએ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
ભરતી પહેલા તંત્ર એલર્ટ, નદીઓની જળસપાટી પર સતત નજરવરસાદ વચ્ચે દરિયાકાંઠા વિસ્તારમાં ભરતીનો સમય નજીક આવતા જિલ્લા તંત્ર વધુ સતર્ક બન્યું છે. કાવેરી, અંબિકા અને પૂર્ણા સહિતની નદીઓની જળસપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
કાવેરી નદી 12 ફૂટ પર પહોંચતા 15 ગામોને એલર્ટચીખલી નજીકથી પસાર થતી કાવેરી નદીની જળસપાટી સતત વધી રહી છે. 19 ફૂટની ભયજનક સપાટી ધરાવતી કાવેરી નદી હાલમાં 12 ફૂટ સુધી પહોંચી ગઈ છે. નદીની સપાટી વધતાં ચીખલી રિવરફ્રન્ટ નજીક આવેલો કોઝવે ઓવરફ્લો થયો છે, જ્યારે નદી કિનારે આવેલું મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને કાવેરી નદીના કાંઠાના 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
અંબિકા અને પૂર્ણા નદીની સ્થિતિ હાલ સામાન્યજિલ્લાની અંબિકા અને પૂર્ણા નદીઓની જળસપાટી હાલમાં સામાન્ય હોવાનું તંત્રએ જણાવ્યું છે. તેમ છતાં આગામી વરસાદની આગાહી અને ઉપરવાસમાંથી આવનારા પાણીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ નદીઓ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્રએ લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી રીતે નદી-કોઝવે નજીક ન જવા અપીલ કરી છે.
આ પણ વાંચો- Breaking News : વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! નેશનલ એક્સપ્રેસ-વે 4 પર આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
Team India under Coach VVS Laxman : ભારત અને ઝિમ્બાબ્વેનો પ્રવાસ 23 જુલાઈથી શરુ થવા જઈ રહ્યો છે. આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની સાથે ગૌતમ ગંભીર હશે નહી. ત્યારે હેડ કોચની જવાબદારી વીવીએસ લક્ષ્મણ સંભાળતો જોવા મળશે. આવું પહેલી વખત નથી કે, જ્યારે લક્ષ્મણના હાથમાં ટીમ ઈન્ડિયાની કમાન છે. આ પહેલા પણ જ્યારે જ્યારે જરુર પડી વીવીએસ લક્ષ્મણે ટીમ ઈન્ડિયાના કોચની ભૂમિકા નિભાવી હતી. હવે સવાલ એ છે કે, લક્ષ્મણની કોચિંગમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ કેવો રહ્યો ?
2022માં આયરલેન્ડ સીરિઝથી લક્ષ્મણે કોચિંગ ડેબ્યુ કર્યુંભારતીય ટીમની સાથે વીવીએસ લક્ષ્મણે પોતાનું કોચિંગ ડેબ્યુ વર્ષ 2022માં આયરલેન્ડ વિરુદ્ધ રમાયેલી ટી20 સીરિઝથી કર્યું હતુ. ભારતે 2 ટી20 સીરિઝ 2-0થી પોતાને નામ કરી હતી. ત્યારબાદ 2022માં ટી20 ફોર્મેટમાં રમાયેલા એશિયા કપમાં પણ ભારતે 5 મેચ વીવીએસ લક્ષ્મણની કોચિંગમાં રમી હતી. જેમાં 3માં જીત અને 2માં હારનો સામનો કરવો પડ્યો હતો.
ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ લક્ષ્મણની કોચિંગમાં 2023માં ચીનમાં થયેલી એશિયન ગેમ્સમાં ટી20 મેચ રમી હતી. વીવીએસ લક્ષ્મણની કોચિંગમાં ભારતે ટી20 ફોર્મેટમાં રમી હતી. 2023 એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો.
ઝિમ્બાબ્વે પ્રવાસ પહેલા પણ રહી ચૂક્યા છે કોચવર્ષ 2024માં ઝિમ્બાબ્વે પ્રવાસપર પણ ટીમ ઈન્ડિયાએ વીવીએસ લક્ષ્મણની કોચિંગમાં કર્યું હતુ. ભારતે આ પ્રવાસ પર રમાયેલી 5 ટી20 સીરિઝ 4-1થી જીતી હતી.
વનડેમાં લક્ષ્મણ રહ્યો ટીમ ઈન્ડિયાનો કોચટીમ ઈન્ડિયાની સાથે કોચ લક્ષ્મણનો સાથ માત્ર ટી20 મેચ સુધી સીમિત રહ્યો નથી પરંતુ વનડે સીરિઝ અને ટૂર્નામેન્ટમાં પણ કોચ રહી ચૂક્યા છે. 2022માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમાયેલી વનડે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને ક્લીન સ્વીપ પણ વીવીએસ લક્ષ્મણની કોચિંગમાં કર્યું હતુ. ભારતે 3 વનડે સીરિઝ 3-0થી જીતી હતી.
ભારતીય ક્રિકેટમાં સૌથી વધારે ભણેલો ગણેલો છે આ પૂર્વ ક્રિકેટર, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના પરિવાર સાથે છે કનેક્શન અહી ક્લિક કરો
ભરૂચ : અંકલેશ્વર GIDC પોલીસે ભડકોદ્રા ગામના નોબલ માર્કેટ સ્થિત લીઝા એન્ટરપ્રાઇઝના ગોડાઉન ખાતે દરોડો પાડી મહીંદ્રા TUV 300 ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં ગાડીમાં દારૂ છુપાવવા માટે અલગ-અલગ જગ્યાએ ખાસ ચોરખાના બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
કારમાં ચોરખાના બનાવાયા હતાપોલીસના જણાવ્યા મુજબ સફેદ કલરની મહીંદ્રા TUV 300 કારના આગળના અને પાછળના બમ્પર, વચ્ચેની સીટ નીચે તેમજ પાછળની બ્રેક લાઈટ પાસે ચોરખાના બનાવવામાં આવ્યા હતા. આ છુપી જગ્યાઓને સ્ક્રુ અને પાનાની મદદથી ખોલવામાં આવતી હતી. ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 મિલીની કુલ 901 બોટલો મળી આવી હતી.
ચોરખાનામાંથી દારૂ કાઢતા બુટલેગર ઝડપાયોદારૂનો જથ્થો બિનઅધિકૃત રીતે વેચાણ કરવાના હેતુથી ગાડીમાં ચોરખાના બનાવી તેમાં છુપાવી અંકલેશ્વર સુધી લાવવામાં આવ્યો હોવાનો આરોપ છે. પોલીસની રેડ દરમિયાન કારમાંથી દારૂનો જથ્થો બહાર કાઢતા ભડકોદ્રાનો મોહમંદ કૈફ એઝાઝ અહમદ સૈયદ ઉંમર 25 વર્ષ રંગેહાથ ઝડપાયો હતો.
ડ્રાઇવર ચાવી લઇ ભાગી ગયોજોકે, ગાડીનો ડ્રાઇવર અનવર સિપાઇ પોલીસ રેડ પહેલા જ ગાડીની ચાવી લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ગાડીની ચાવી ન હોવાથી રાત્રિના સમયે ક્રેનની મદદથી ચોરખાનાવાળી કારને અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી.
3 ને વોન્ટેડ જાહેર કરાયાજપ્ત મુદ્દામાલમાં દારૂની કિંમત ₹1,67,586, મહીંદ્રા TUV 300ની કિંમત ₹5 લાખ અને મોબાઇલ મળી કુલ ₹6,72,586નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પોલીસ તપાસમાં એઝાઝ અહમદ સૈયદ, રાહુલ અને ડ્રાઇવર અનવરભાઇ સિપાઇની પણ ગુનામાં સંડોવણી સામે આવી છે જેમને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે.
પોલીસથી બચવા માટે બુટલેગરો વાહનોના બમ્પર, સીટ નીચે, બ્રેક લાઈટ સહિતની છુપી જગ્યાઓમાં ખાસ ચોરખાના બનાવી દારૂનો જથ્થો સંતાડતા હોવાના કિસ્સા સમયાંતરે સામે આવે છે. આ ચોરખાના સામાન્ય રીતે બહારથી દેખાય નહીં તે રીતે બનાવવામાં આવે છે અને જરૂર પડે ત્યારે સ્ક્રુ તથા અન્ય સાધનોની મદદથી ખોલવામાં આવે છે. આવી રીતે વાહનના મૂળ સ્વરૂપમાં ફેરફાર કરી દારૂ છુપાવીને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાની તરકીબનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, પોલીસની સતર્કતા અને બાતમીના આધારે આવા ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ થઈ રહ્યો છે.
વડોદરા અને ભરૂચ વચ્ચે મુસાફરી કરતા વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજથી નેશનલ એક્સપ્રેસ-વે 4 પર ટોલ ટેક્સમાં 5% વધારો અમલમાં આવ્યો છે. એક્સપ્રેસ-વેનો વિસ્તાર હવે ભરૂચથી આગળ બારડોલી સુધી વધારવામાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે.
વડોદરા અને ભરૂચ વચ્ચે મુસાફરી થઈ મોંઘીઅગાઉ મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વેના આ તબક્કા પર વાહનોની અવરજવર માત્ર વડોદરાથી ભરૂચ સુધી મર્યાદિત હતી. હવે એક્સપ્રેસ-વેનું વિસ્તરણ બારડોલી સુધી થતાં વાહનચાલકોને વધુ લાંબા અંતર સુધી ઝડપી અને સુવિધાજનક મુસાફરીની સુવિધા મળી રહી છે. આ વધારાની સુવિધાને ધ્યાનમાં રાખીને ટોલના દરોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ટેક્સમાં 5% વધારો આજથી અમલમાંનવા દરો આજથી અમલમાં આવતા વડોદરાથી ભરૂચ અથવા આગળ બારડોલી તરફ જતા તમામ પ્રકારના વાહનોને વધારેલો ટોલ ચૂકવવો પડશે. ટોલમાં થયેલા આ વધારાની સીધી અસર દૈનિક મુસાફરી કરતા વાહનચાલકો તેમજ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પર જોવા મળશે.
એક્સપ્રેસ-વેનું વિસ્તરણ થતાં ટ્રાફિકનું ભારણ ઓછું થશેઅધિકારીઓના જણાવ્યા મુજબ, એક્સપ્રેસ-વેનું વિસ્તરણ થતાં મુસાફરીનો સમય ઘટશે, ટ્રાફિકનું ભારણ ઓછું થશે અને સુરક્ષિત તેમજ ઝડપી પરિવહન સુનિશ્ચિત બનશે. માર્ગની જાળવણી, સંચાલન અને નવી સુવિધાઓ માટે પણ ટોલની આવકનો ઉપયોગ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે દેશના સૌથી મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંનો એક છે. ગુજરાતમાં તેના તબક્કાવાર વિસ્તરણ સાથે મુસાફરી વધુ સરળ બની રહી છે, જોકે ટોલના વધેલા દરોને કારણે હવે વડોદરાથી ભરૂચ અને બારડોલી તરફ જતી મુસાફરી વાહનચાલકો માટે થોડી વધુ મોંઘી બનશે.
Gujarat Weather Today: દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરની આગાહી, ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ચોમાસું ફરી જામ્યું, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરોશું તમે ક્યારેય તમારા ઘરના AC અથવા રેફ્રિજરેટર પર 3-પિન પ્લગ પર ધ્યાન આપ્યું છે? તમે કદાચ વિચાર્યું હશે કે શા માટે એક પિન અન્ય કરતા મોટી અને જાડો હોય છે. તે તારણ આપે છે કે આ ફક્ત દેખાવ અથવા ડિઝાઇન વિશે નથી. તેની પાછળ એક મહત્વપૂર્ણ તકનીકી કારણ છે. હકીકતમાં, ભારે ઉપકરણો જેમ કે રેફ્રિજરેટર, AC અથવા માઇક્રોવેવ માટે ઉપયોગમાં લેવાતા 3-પિન પ્લગ પરનો તે મોટી અને જાડી પિન ખરેખર તમારા જીવનને બચાવવા માટે કામ કરે છે.
જ્યારે પણ તમે સોકેટમાં 3-પિન પ્લગ દાખલ કરો છો, ત્યારે તે મોટી અને જાડી પિન ખાતરી કરે છે કે તમને ઇલેક્ટ્રિક શોક ન લાગે. તેના કદ અને લંબાઈને કારણે, આ પિન અન્ય કરતા પહેલા ઇલેક્ટ્રિકલ સર્કિટ સાથે સંપર્ક કરે છે. પરિણામે, જો ઉપકરણમાં આંતરિક શોર્ટ-સર્કિટ અથવા કરંટ લિકેજ હોય, તો કરંટ તમારા શરીર સુધી પહોંચે તે પહેલાં આ મોટી અને જાડી પિન દ્વારા સુરક્ષિત રીતે જમીનમાં વાળવામાં આવે છે.
3-પિન પ્લગ પર જાડા, લાંબા પિન પાછળનું કારણ સમજતા પહેલા, એ જાણવું જરૂરી છે કે 3-પિન પ્લગનો ઉપયોગ ઉચ્ચ-લોડ ઉપકરણો માટે કેમ થાય છે. રેફ્રિજરેટર, એસી, માઇક્રોવેવ અને ગીઝર જેવા ભારે ઉપકરણોમાં ઘણીવાર મેટલ બોડી હોય છે, જે કેસીંગ પર ઇલેક્ટ્રિક કરંટ લીક થવાનું જોખમ વધારે હોય છે.
મોબાઇલ ચાર્જર, ટીવી અથવા ટ્રીમર જેવા ઓછા વોલ્ટેજ ઉપકરણોમાં કરંટ લીક થવાનું જોખમ એટલું જ નથી, તેથી જ તેમના માટે ૨-પિન પ્લગ પૂરતું છે. ભારે ઉપકરણોમાં યોગ્ય અર્થિંગ વિના, ઉપકરણને સ્પર્શ કરવાથી ઇલેક્ટ્રિક શોક લાગવાનું સતત જોખમ રહેલું છે.
3-પિન પ્લગ પર એક પિન કેમ લાંબો હોય છે? : 3-પિન પ્લગ પર એક પિન અન્ય કરતા લાંબો બનાવવામાં આવે છે જેથી જ્યારે તમે તેને સોકેટમાં દાખલ કરો છો, ત્યારે લાંબો પિન ન્યુટ્રલ અને ફેઝ પિન પહેલાં જોડાય છે. આ ખાતરી કરે છે કે ઇલેક્ટ્રિક કરંટ ઉપકરણ સુધી પહોંચે તે પહેલાં અર્થિંગ કનેક્શન સક્રિય થઈ જાય છે.
પરિણામે, જો ઉપકરણમાં કોઈ શોર્ટ-સર્કિટ અથવા કરંટ લીકેજ થાય છે, તો કરંટ તમારા શરીર સુધી પહોંચતો નથી, અને તમને ઝટકો લાગતો નથી. આ લાંબા પિનનો આભાર, કરંટ સુરક્ષિત રીતે સીધો જમીનમાં વાળવામાં આવે છે.
ફોનમાં નેટવર્ક નહીં હોય તો પણ થઈ જશે UPI પેમેન્ટ ! NPCI લાવી રહ્યું Tap-to-Pay સુવિધા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરોસોમવારે 20 જુલાઈના રોજ અમદાવાદના ઘુમા ગામમાં દીપડો દેખાયો હતો. શરણદીપ સોસાયટીમાં દીપડો ઘુસ્યો હોવાની વાત સામે આવતા જ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.મેયર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકો પાસેથી મેયરે માહિતી મેળવી હતી. દીપડાને પકડી પાડવા વન વિભાગની ટીમ કામે લાગી છે. આજે બીજો દિવસ થયો છે. અને વનવિભાગને ટીમને દીપડો હાથે લાગ્યો નથી.દીપડો વહેલી તકે પકડાઈ જાય એવી રહીશોને આશા છે.
વન વિભાગે શોધખોળની જગ્યા બદલીશરણદીપ સોસાયટી સામેની બાજુ દીપડો ન મળ્યો .વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ વાનને સામેના પ્લોટમાંથી ખસેડાઇ છે. સોસાયટીની આજુબાજુમાં આવેલ ઝાડી વાળા વિસ્તારમાં એક દિવસ સર્વેલન્સ કરાયું હતુ. એક દિવસના સર્વેલન્સમાં દીપડો ના મળતા જગ્યા બદલવામાં આવી છે.થર્મલ ડ્રોન સર્વેલન્સમાં પણ દીપડો હોવાના પુરાવાઓ મળ્યા ન હતા. દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના થઈ છે. 2 દિવસથી દીપડો ન દેખાતાં ફોરેસ્ટની ટીમે તપાસનો દાયરો વધાર્યો છે. આસપાસનાં વિસ્તારમાં દીપડાનાં ફુટમાર્ક્સની ચકાસણી શરુ કરાઇ છે. દીપડાની મુવમેન્ટ પર હવે ફોરેસ્ટની ટીમની સતત નજર રાખી રહી છે.
દીપડાની કોઈ ભાળ નહીંતમને જણાવી દઈએ કે, અમદાવાદના ધુમામાં દીપડો જોવા મળ્યા બાદ વનવિભાગની ટીમ તેની શોધખોળ કરી રહી છે. ત્યારે હવે કાણેટી ગામની આજુબાજુના વિસ્તારમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ અપડેટ ઘુમા-શેલામાં વન વિભાગની ટીમે આખી રાત કરી દીપડાની શોધ કરી હતી. દિવસ અને રાતની શોધખોળ બાદ પણ દીપડાની કોઈ ભાળ નહીં. શરણદીપ સોસાયટી અને આસપાસનાં વિસ્તારમાં રાતભર સર્ચની કામગિરી ચાલી હતી.થર્મલ ડ્રોનની મદદથી કરાયેલાં સર્ચમાં પણ કઈ હાથ ના લાગ્યું.
Breaking News : અમદાવાદના ઘુમામાં દીપડાની લટાર, જુઓ CCTV વીડિયો અહી ક્લિક કરો
એક કરોડપતિ બનવાની લોટરીનો જેકપોટ લાગી જાય તેવું સપનું બધાનું હોય છે. લોટરીની ટિકિટ લોકોના મનમાં અનેક સપનાઓ જગાડે છે. ભારતમાં લોટરી ખરીદતા પહેલા એ જાણવું જરુરી છે કે, દરેક રાજ્યમાં કાનુની સ્થિતિ અલગ અલગ છે.
ક્યાંય લોટરી વેચવો ગુનો છે, તો ક્યાક આ ગુનો બનતો નથી. આ કારણ છે કે, લોટરી અધિનિયમ 1998 હેઠળ રાજ્યોને સરકારી લોટરી ચલાવવાનો અથવા પ્રતિબંધિત કરવાનો અધિકાર છે. તેથી, કરોડપતિ બનવાનું સ્વપ્ન જોતા પહેલા તમારા રાજ્યના કાયદા અને નિયમોને સમજવું મહત્વપૂર્ણ છે.
શું કહે છે લોટરીનું કાયદો? લોટરી અધિનિયમ 1998ના અનુસાર માત્ર રાજ્ય સરકારને આ અધિકાર મળેલો છે, કે તે નિર્ધારિત શરતોની સાથે સરકારી લોટરી આયોજિત કરી શકે છે. કોઈ પણ સંસ્થાને અલગથી સ્વતંત્ર રુપથી લોટરી ચલાવવાની પરવાનગી આપવામાં આવી નથી.
લોટરી (નિયમન) અધિનિયમની કલમ 5 રાજ્યોને અન્ય રાજ્યોમાંથી લોટરી ટિકિટોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની સત્તા આપે છે. જેમાં પારદર્શિતા બનાવી રાખવા અને ગેરકાયદેસર લોટરીના કારોબારને પ્રતિબંધ લગાવવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારે 2010માં લોટરી નિયમોને વધુ સ્પષ્ટ કર્યા છે.
આપણા દેશમાં લોટરીને સંપુર્ણ રીતે ગેરકાયદેસર માનવામાં આવી છે. પરંતુ આને કાનુન દ્વારા નિયંત્રિત કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે કેટલાક રાજ્યોને લોટરી (નિયમન) અધિનિયમ, 1998 હેઠળ તેમના રાજ્યમાં લોટરી પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર છે.
ભારતમાં લોટરી સંપૂર્ણપણે પ્રતિબંધિત નથી કે સંપૂર્ણપણે સ્વતંત્ર પણ નથી. તેથી, લોટરી દ્વારા કરોડપતિ બનવાનું સ્વપ્ન જોતા પહેલા, ખાતરી કરો કે તેની ખરીદી અને વેચાણ તમારા રાજ્યમાં કાયદેસર છે. નિયમોની અવગણના કરવાથી નાણાકીય નુકસાન અને કાનૂની કાર્યવાહી થઈ શકે છે. કાયદાનું જ્ઞાન અને તકેદારી જ તમને નાણાકીય અને કાનૂની મુશ્કેલીમાંથી બચાવી શકે છે.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરોચોમાસાની ઋતુમાં ગરમ અને ચટાકેદાર નાસ્તો કોને ન ગમે? આ ઋતુમાં ભજીયા એ સૌથી લોકપ્રિય વાનગીઓમાંથી એક છે. આજે આપણે ભરેલા મરચાંના ભજીયા બનાવવાની એક એવી નવી અને અનોખી રીત જોઈશું, જેમાં બટેકાના પરંપરાગત મસાલાને બદલે ચવાણાનો સ્વાદિષ્ટ મસાલો ભરવામાં આવે છે. આ રેસીપી તમારા સ્વાદની કળીઓને ચોક્કસપણે ઉત્તેજિત કરશે અને મહેમાનોને પણ ખુશ કરશે.
મરચાંની તૈયારી: સૌપ્રથમ, 150 થી 200 ગ્રામ ભાવનગરી મરચાં લો. જો ભાવનગરી મરચાં ન મળે તો ભરી શકાય તેવા કોઈપણ મોટી સાઈઝના મરચાંનો ઉપયોગ કરી શકાય છે. મરચાંને બરાબર ધોઈને સૂકવી લો. ત્યારબાદ, દરેક મરચાંને વચ્ચેથી ચપ્પુ વડે કાપો પાડી લો. અહીં ખાસ ધ્યાન રાખવું કે જો મરચાં ખૂબ તીખા હોય તો તેના બીયાં અને અંદરની નસો કાઢી લેવી. જો મરચાં મોળા હોય તો તેને કાઢવાની જરૂર નથી. કાપો પાડ્યા પછી, મરચાં પર એક મોટી ચમચી મીઠું અને એક મોટા લીંબુનો રસ ઉમેરી, હાથ વડે બરાબર મસળી લો જેથી મીઠું અને લીંબુનો રસ મરચાં પર સરખી રીતે લાગી જાય. ત્યારબાદ, મરચાં ઉપર મીડીયમ ગરમ પાણી રેડી, તેને થોડીવાર માટે પાણીમાં પલળવા દો. પલાળ્યા બાદ, મરચાંને ચારણીમાં મૂકીને વધારાનું પાણી નીતારી લેવું.
અનોખા ચવાણા મસાલાની તૈયારી (ભરવા માટે): ભજીયાનો સ્વાદ વધારનાર આ ખાસ મસાલો બનાવવા માટે, એક કપ જેટલું તીખું ચવાણું લો. તમે તમારા ઘરમાં ઉપલબ્ધ કોઈપણ પ્રકારનું ફરસાણ વાપરી શકો છો. ચવાણાને મિક્સર જારમાં નાખો. તેમાં એક ચમચી વરિયાળી અને એક ચમચી આખા ધાણા ઉમેરો. જો તમે લીધેલું ચવાણું તીખું હોય, તો એક ચમચી ખાંડ ઉમેરો. જો ચવાણું પહેલેથી જ ગળ્યું હોય તો ખાંડ ઉમેરવાની જરૂર નથી. મિક્સરને પલ્સ મોડ પર ચલાવીને ચવાણાને અધકચરું પીસી લો. આ રીતે પીસેલું ચવાણું મરચાંમાં ભરવા માટે તૈયાર છે.
હવે, પીસેલા ચવાણામાં થોડા લીલા ધાણા અને અડધા લીંબુનો રસ ઉમેરો. મસાલાને બે હાથ વડે બરાબર ચોળીને મિક્સ કરો. આમ કરવાથી મસાલામાં એક સરસ બાઈન્ડિંગ આવશે, જે તેને મરચાંમાં સરળતાથી ભરવામાં મદદ કરશે અને મસાલો બહાર નીકળી જશે નહીં.
ચણાના લોટનું બેટર બનાવવાની રીત: ભજીયા માટે ચણાના લોટનું બેટર બનાવવા માટે, દોઢ કપ બેસન (ચણાનો લોટ) લો. તેમાં એક નાની ચમચી મીઠું, એક નાની ચમચી ચાટ મસાલો, ચપટીક ગરમ મસાલો અને થોડા લીલા ધાણા ઉમેરો. આ મસાલાઓને લોટ સાથે સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ, થોડું થોડું પાણી ઉમેરતા જઈને મધ્યમ ઘટ્ટ બેટર તૈયાર કરો. બેટર એકદમ પાતળું કે એકદમ જાડું ન હોવું જોઈએ. ધીમે ધીમે પાણી ઉમેરવાથી બેટરમાં ગાંઠા નહીં પડે અને એકદમ મુલાયમ બનશે. લગભગ એક કપથી થોડું ઓછું પાણી લાગશે.
મરચાં ભરવા અને તળવાની પ્રક્રિયા:હવે તૈયાર કરેલા ચવાણાના મસાલાને નીતારેલા મરચાંમાં ભરી લો. અંગૂઠા વડે દબાવતા જઈને મસાલો બરાબર ભરી લેવો. બધા મરચાં ભરાઈ જાય પછી, ચણાના લોટના બેટરમાં એક ચમચી ગરમ તેલ અને ચપટીક ખાવાનો સોડા ઉમેરી બરાબર મિક્સ કરો. આનાથી ભજીયા ક્રિસ્પી અને ફૂલેલા બનશે.
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ મધ્યમ ગરમ થાય એટલે, એક ભરેલા મરચાંને બેટરમાં બોળી, વધારાનું બેટર નીતારીને ગરમ તેલમાં નાખો. આ રીતે બધા ભજીયા તેલમાં નાખીને મધ્યમ આંચ પર સોનેરી બદામી થાય ત્યાં સુધી તળી લો. ભજીયાને સમયાંતરે ફેરવતા રહેવું જેથી તે બધી બાજુથી સરખી રીતે તળાઈ જાય. એક બેચને તળાતા લગભગ 2-3 મિનિટ લાગશે.
ગરમ ગરમ ભરેલા મરચાંના ભજીયા ખજૂર-આમલીની ચટણી, ટોમેટો કેચપ અથવા તીખી લીલી ચટણી સાથે સર્વ કરો. આ અનોખા સ્વાદવાળા ભજીયા ચોક્કસપણે તમારા ચોમાસાના દિવસોને વધુ યાદગાર બનાવશે. આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરો અને તમારા પરિવારજનો સાથે માણો.All photo credit : Whisk AI
Crispy Corn Bhajiya Recipe : વરસાદની મોસમમાં ઘરે બનાવો કરકરા મકાઈના ભજીયા, જાણો સરળ રેસીપી આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની સૌથી મોટી કંપની SBI ફંડ્સ મેનેજમેન્ટના IPO પર દાવ લગાવનારા રોકાણકારો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ રહ્યો છે. મંગળવારે, કંપનીના શેર મુખ્ય ભારતીય સ્ટોક એક્સચેન્જોમાં 7 ટકા સુધીના પ્રીમિયમ (નફા) સાથે લિસ્ટેડ થયા.
જોકે ગ્રે માર્કેટમાં અપેક્ષાઓ 16 ટકા સુધીના મજબૂત પ્રીમિયમ તરફ નિર્દેશ કરતી હતી. જેના કારણે આ લિસ્ટિંગ સરખામણીમાં કંઈક અંશે ઓછી દેખાય છે.
કંપનીએ તેના IPO માટે ₹545 થી ₹574 પ્રતિ શેરનો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો હતો નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ SBI ફંડ્સના શેર ₹613.30 પ્રતિ શેર પર લિસ્ટેડ થયા, જે ઉપલા પ્રાઇસ બેન્ડ (₹574) કરતા 6.85 ટકા વધારે છે. જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર શેર ₹610 પ્રતિ શેરના ભાવે લિસ્ટેડ થયા, જે 6.27 ટકા પ્રીમિયમ દર્શાવે છે.
લિસ્ટિંગ પછી તરત જ, કંપનીનું કુલ બજાર મૂડીકરણ વધીને ₹1,24,246.48 કરોડ થયું. ₹9,812.91 કરોડ મૂલ્યનો આ વિશાળ IPO 14 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન સામાન્ય લોકો માટે ખુલ્લો હતો.
41 વખતથી વધુ સબ્સ્ક્રાઇબ થયું: IPO ને ત્રણ દિવસના બિડિંગ સમયગાળા દરમિયાન રોકાણકારો તરફથી જબરદસ્ત રસ મળ્યો, જેના પરિણામે કુલ 41.66 ગણું સબ્સ્ક્રિપ્શન થયું.
એન્કર રોકાણકારો: પબ્લિક ઇશ્યૂ ઓપનિંગ પહેલાં, કંપનીએ એન્કર રોકાણકારો દ્વારા ₹2,663 કરોડ એકત્ર કર્યા હતા. કંપની 1987 માં સ્થાપિત થઈ હતી. SBI ફંડ્સ મેનેજમેન્ટ ભારતની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની (AMC) છે.
Gold-Silver Rate Today : સતત ઘટાડા બાદ આજે સોનું ઉછળ્યું ! જાણો આજે કેટલો થયો સોના-ચાંદીનો ભાવ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરોબોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક અને બચ્ચન પરિવારની પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન જ્યારે પણ કેમેરા સામે આવે છે ત્યારે હંમેશા પોતાની સ્ટાઇલથી ધ્યાન ખેંચે છે. આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ચમકવા માટે જાણીતી, ઐશ્વર્યાએ ફરી એકવાર દિલ જીતી લીધા છે. તાજેતરમાં જ તે એરપોર્ટ પર એક સરળ છતાં ક્લાસી બ્લેક ડ્રેસ પહેરેલી જોવા મળી હતી.
વિસ્તૃત પોશાક કે ભારે ઘરેણાં વિના પણ, તે અદભુત દેખાતી હતી, જે સાબિત કરે છે કે સાચી સ્ટાઇલ આત્મવિશ્વાસ અને સાદગીમાં રહેલી છે. તેના પોશાક ઉપરાંત, તેણે વજનમાં ઘટાડો કરી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે; ફોટા જોતાં, એવું લાગે છે કે તેણીએ વજન ઘટાડ્યું છે.
ઐશ્વર્યાએ કાળું બ્લેઝર પહેર્યું હતું જેમાં ઝીણી સજાવટનું ભરતકામ હતુ તેની સાથે બ્લેક ટ્રાઉઝર અને બ્લેર પેન્ટ પહેરેલુ દેખાય છે જે તેના લુકને ક્લાસી બનાવી રહ્યું છે. મેચિંગ આઉટફિટ ફક્ત સ્ટાઇલિશ જ નહીં પણ મુસાફરી માટે અનુકૂળ પણ લાગતો હતો.
તેના લુકમાં શાહી સ્પર્શ ઉમેરવા માટે, ઐશ્વર્યાએ કાળો ટેક્ષ્ચર્ડ ટ્રેન્ચ કોટ પહેર્યો હતો. તે સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને મુસાફરી માટે વ્યવહારુ ફેશન પસંદગી બંને તરીકે કામ કરતો હતો, જે તેના સંપૂર્ણ કાળા પોશાકમાં ઊંડાણ ઉમેરતો હતો.
ઐશ્વર્યાએ તેના કાળા પોશાકને મેચિંગ બ્લેક બૂટ અને બેગ પણ સાથે જોવા મળી હતી. તેણીએ સ્ટ્રક્ચર્ડ બ્લેક લેધર હેન્ડબેગ લીધુ હતું, જેમાં વાંસના હેન્ડલ્સ હતા જે અલગ દેખાતા હતા અને દરેકનું ધ્યાન ખેંચતા હતા. દરમિયાન, તેના પહોળા પગવાળા ટ્રાઉઝરની નીચેથી બહાર દેખાતા કાળા પોઇન્ટેડ બૂટની સાથે દેખાવમાં સુસંસ્કૃતિનો ટચ ઉમેર્યો હતો.
ઐશ્વર્યાનો આ લુક ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને બચ્ચન પરિવારની વહુનો આ બદલાયેલો લુક સુપર કુલ લાગી રહ્યો છે જેનામાં તે પ્રોફેશનલની સાથે ક્લાસી પણ લાગી રહી છે.
લોક અપ 2માં થશે અપૂર્વા મખીજાની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી? લીક પ્રોમોથી મળી હિંટ, જુઓ-Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરોરિયાલિટી ટીવીના ચાહકો અને બિગ બોસના ચાહકો માટે એક ગુડ ન્યુઝ સામે આવી રહ્યા છે. આ ફેસ્ટિવ સીઝનમાં મનોરંજન ડબલ થવાનું છે. ઓટીટી અને ટીવીના સૌથી મોટા એન્ટરટેનમેન્ટ નેટવર્ક જિયોહોટસ્ટારે ભારતીય ટેલિવિઝન ઈતિહાસમાં મોટી જાહેરાત કરી છે. પહેલી વખત બિગ બોસ 6 અલગ અલગ ભાષામાં નવી સીઝન એક સાથે, એક જ સમયે દેશભરમાં રિલીઝ થવા જઈ રહ્યું છે.
સપ્ટેમ્બર 2026થી શરુ થવા જઈ રહેલી આ ફેસ્ટિવ સીઝનમાં હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને બાંગ્લા ભાષામાં બિગ બોસનો મહાસંગ્રામ જોવા મળશે. જે ટીવી નેટવર્કની સાથે-સાથે ઓટીટી પ્લેટફોર્મ જિયોહોટસ્ટાર પર પણ સ્ટ્રીમ થશે.
આ વખતે બિગ બોસ માત્ર એક ભાષા કે રીઝનનો નહી પરંતુ આખા દેશનો સૌથી મોટો તહેવાર બનવા જઈ રહ્યો છે. જેમાં મહા-ધમાકો મુખ્ય આકર્ષણ થશે. જેના આઈકોનિક હોસ્ટ્સ, જે વર્ષોથી પોતાની ભાષામાં રાજ કરી રહ્યા છે.
- હિન્દી: બોલીવુડના સુલતાન સલમાન ખાન ફરી એકવાર પોતાની શાનદાર સ્ટાઈલમાં એન્ટ્રી કરશે.
- તમિલ: સાઉથ અભિનેતા વિજય સેતુપતિ ચમકશે.
- તેલુગુ: રાજા નાગાર્જુન પોતાના સિગ્નેચર સ્વેગ સાથે હોટ સીટ સંભાળશે.
- કન્નડ: એક્શન સ્ટાર કિચ્ચા સુદીપ પોતાના તીખા વલણથી સ્પર્ધકોને પાઠ ભણાવશે.
- મલયાલમ: ભારતીય સિનેમાના અનુભવી અભિનેતા મોહનલાલ શોનું સંચાલન સંભાળશે.
બંગાળ (સૌથી મોટું આશ્ચર્ય): બંગાળનું ગૌરવ અને ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (દાદા) આ વખતે ‘બિગ બોસ બાંગ્લા’નું આયોજન કરશે, જેનાથી ફ્રેન્ચાઇઝની સ્ટાર પાવર અનેકગણી વધી જશે.
24×7 લાઈવ ફીડમાં જોવા મળશે એક્શનબિગ બોસ જે રીતે દેશમાં ફેમસ છે. તેનો અંદાજો તમે આંકડાથી લગાવી શકતા નથી. ગત્ત વર્ષે 2025થી આ ફ્રેન્ચાઈઝીએ 50 કરોડથી વધારેની વ્યુઅરશિપ કરી હતી. 438 બિલિયનથી વધારે મિનિટ જોવાય છે. જિયોહોટસ્ટાર પર દર 10 માંથી 6 ચાહકો બિદ બોસ 24×7 લાઈવ ફીડ જોવાનું પસંદ કરે છે. આ વખતે 24×7 લાઈવ સ્ટ્રીમિંગ, વોટ અને લાઈવ ચેટ દ્વારા પણ ચાહકોના સીધા સ્પર્ધકોના રમતને પાવર અપાશે. આ વ્યુઅરશિપ ઓટીટીના અનેક રિયાલિટી શોથી વધારે છે.
જિયોહોટસ્ટારની ટીમના જણાવ્યા મુજબ ફેસ્ટિવ સીઝનના 3 મહિનામાં જશ્નમાં ડુબે છે. તો બિગ બોસદેશના 200 મિલિયન થી વધારે હિન્દી ભાષા અને સાઉથના 300 મિલિયનથી વધારે ચાહકોને એક પ્લેટફોર્મ પર લાવે છે. આ તકે સેલિબ્રેટ કરવા માટે જિયોહોટસ્ટારે ઈન્ડિયાસ બિગ રિયાલિટી નામની એક કોફી ટેબલ બુક પણ રિલીઝ કરી છે. જેમાં બિગ બોસના 2 દશકના સફળને દેખાડવામાં આવી છે. તો બસ હવે તૈયાર થઈ જાવ કારણ કે, સપ્ટેમ્બરથી તમારા ઘરના લિવિંગ રુમમાં ડ્રામા, એન્ટરટેનમેન્ટ અને કલેશનો સૌથી મોટો ઓવરડોઝ આવશે.
બિગ બોસ એ ટીવી જગતનો સૌથી ફેમસ અને મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો છે. છેલ્લા ઘણા સમયથી સલમાન ખાન જેવો સુપરસ્ટાર તેને હોસ્ટ કરી રહ્યો છે. અહી ક્લિક કરો